Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 42,500ને પાર, 1373 લોકોનાં મોત

કોરોના સંક્રમિતોની સંખ્યા 42,500ને પાર, 1373 લોકોનાં મોત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન ત્રણના તબક્કાનો આજથી પ્રારંભ થાય છે. દેશમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 42,500ને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરાના વાઇરસથી અત્યાર સુધી 1373 લોકોનાં મોત થયાં છે અને આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 42,533 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 2,553 નવા કેસ સામે આવ્યા છે અને 72 લોકોનાં મોત થયા છે . થોડા રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 11,707 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દર્દીઓનો રિકવરી રેટ 27.52 ટકાએ પહોંચ્યો છે.  

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર

કોરોના વાઇરસ અત્યાર સુધી 187 દેશોમાં  ફેલાઈ ચૂક્યો છે.  વિશ્વભરમાં 35,06,757 કેસો નોંધાઈ ચૂક્યા છે અને 2,47,452 લોકોનાં મોત થયાં છે. જોકે 21,34,137 લોકોની સારવાર ચાલુ છે અને 11,25,168 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

દેશમાં કોરોના વાઇરસ કેસોની સંખ્યા રાજ્યવાર નીચે મુજબ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular