Tuesday, July 29, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 32 લાખને પાર, 1059નાં મોત

કોરોના સંક્રમિતોની સંખ્યા 32 લાખને પાર, 1059નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 67,151 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1059 લોકોનાં મોત થયાં છે, દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 32,34,474 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 59,449 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 24,67,758 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,07,267 પહોંચી છે. રિકવરી રેટ વધીને 76.29 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.83 ટકા થયો છે. સક્રિય કેસનો દર પણ ઘટીને 22 ટકા થયો છે.   

3.95 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 25 ઓગસ્ટે દેશમાં નવ લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 25 ઓગસ્ટ સુધી કુલ 395 કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. પોઝિટિવિટી રેટ 6.58 ટકા થયો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular