Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNationalકોરોના કેસની સંખ્યા વધીને 1,071: 29 લોકોનાં મોત

કોરોના કેસની સંખ્યા વધીને 1,071: 29 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ દેશમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને 1,071 કેસ થયા છે. આ રોગને લીધે અત્યાર સુધી 29 લોકોનાં મોત થયાં છે. આ રોગથી અત્યાર સુધી કુલ 49 વિદેશી પણ રોગના સંકજામાં આવી ગયા છે. જોકે રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી આ રોગથી 100 દર્દીઓ સાજા થયા છે. આ રોગના ચેપને અટકાવવા માટે સરકાર લોકડાઉન , સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાં ભરી રહી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 106 નવા નવા કેસ, છનાં મોત

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 106 કેસ સામે આવ્યા છે અને છ જણનાં આ રોગથી મોત થયાં છે. કોરોના વાઇરસથી દેશભરમાં કરવામાં આવેલા સંપૂર્ણ લોકડાઉનને આગળ વધુ વધારવાનો કોઈ યોજના નથી, એમ સરકારે કહ્યું હતું.

દેશનાં રાજ્યોમાં અત્યાર સુધી કોરોના કેસની યાદી નીચે મુજબ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular