Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખને પાર

કોરોના સંક્રમિતોની સંખ્યા ત્રણ લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,458 નવા કેસ સામે આવ્યા છે અને 386 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,08,993 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જોકે આ ખતરનાક બીમારીને 1,54,330 લોકો માત આપવામાં આવ્યા છે. આ વાઇરસે અત્યાર સુધી 8884 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ 49.94 ટકાએ પહોંચ્યો છે. કોરોના સંક્રમણ સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ભારત વિશ્વમાં ચોથા નંબરે છે.  આ વાઇરસ માટે હજી સુધી કોઈ રસી વિકસિત નથી કરી શકાઈ.

 વડા પ્રધાન આગામી સપ્તાહે રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે ચર્ચા કરશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે બધા રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય પ્રધાનોની સાથે કોરોના વાઇરસના સંકટ પર વિચારવિમર્શ કરશે. સૂત્રો અનુસાર 16 અને 17 જૂને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠક યોજશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular