Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસોની સંખ્યા 96 લાખને પાર

કોરોનાના કેસોની સંખ્યા 96 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 96 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,652 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 512 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 96,08,211 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,39,700 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 90,58,822 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,09,689એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 94.19 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.

વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ

ગુજરાતમાં કોવિડ-19ના વેક્સિનેશન માટે વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે. રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ટાસ્ક ફોર્સે જરૂરી આયોજન પણ કરી લીધું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ છ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2189 કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેક્નિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular