Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસોની સંખ્યા 83 લાખને પાર

કોરોનાના કેસોની સંખ્યા 83 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 83 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,253 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 514 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 83,13,876 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,23,611 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 76,56,478 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,33,787એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 91.96 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.

 

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular