Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsNationalખાલિસ્તાનીઓને મુદ્દે મોદી સરકારે કેનેડાને આપ્યો જડબાંતોડ જવાબ

ખાલિસ્તાનીઓને મુદ્દે મોદી સરકારે કેનેડાને આપ્યો જડબાંતોડ જવાબ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે સંબંધો તંગ બન્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કેનેડામાં ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેનેડામાં વધતી ભારતવિરોધી કામગીરી અને રાજકીય રૂપે દ્વેષપૂર્ણ અપરાધો અને હિંસાને જોતાં કેનેડામાં હાલ જવાનો વિચાર કરી રહેલા નાગરિકો માટે અત્યંત સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવે છે. કેનેડાએ પણ ભારતમાં રહેતા કેનેડા નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કર્યા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો છે.

આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે હાલની ધમકીઓમાં ભારતીય રાજકારણીઓ અને ભારતીય સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. આ ધમકીમાં એ લોકોને ખાસ લક્ષ્ય કરવામાં આવ્યા છે, જે ભારત વિરોધી એજન્ડાની ટીકા કરે છે. એટલે ભારતીય નાગરિકોને સલાહ છે કે તેઓ કેનેડાના એ વિસ્તારોમાં અને સંભવિત સ્થળોએ યાત્રા કરવાથી બચવાની સલાહ છે- જ્યાં એવી ઘટનાઓ થઈ છે.કેનેડાએ મંગળવારે તેના નાગરિકો માટે ભારત સંબંધિત નવી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. એડવાઇઝરી “અણધારી સુરક્ષા પરિસ્થિતિને કારણે” કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની મુસાફરી ટાળવા નિર્દેશ આપ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે સંઘર્ષ વધી ગયો છે કેનેડાએ પણ એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે, જેના જવાબમાં ભારતે પણ કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.

કેનેડામાં ખાલિસ્તાન તરફી સંગઠનો જેમ કે વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન (WSO), ખાલિસ્તાન ટાઇગર ફોર્સ (KTF), શીખ ફોર જસ્ટિસ (SFJ) અને બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) કથિત રીતે પાકિસ્તાનના ઇશારે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છે એમ અધિકારીઓ જણાવી રહ્યાં છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular