Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalદેશમાં 70 દિવસોમાં કોરોનાના સૌથી ઓછા કેસ

દેશમાં 70 દિવસોમાં કોરોનાના સૌથી ઓછા કેસ

 નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં ઘટાડાનો સિલસિલો જારી છે, પણ ચિંતાની વાત એ છે કે મૃતકોની સંખ્યામાં ઘટાડો નથી થયો. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 84,332 નવા કેસ સામે આવ્યા છે. જે દૈનિક કેસોની દ્રષ્ટિએ છેલ્લા 70 દિવસોમાં નોંધાયેલા કેસોમાં સૌથી ઓછા છે.  છેલ્લા 24 કલાકમાં 4002 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,93,59,155 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 3,67,081 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,79,11,384  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 1,21,311 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 10,80,690એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.07 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.25 ટકા થયો છે.

દેશમાં 24.96 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 24,96,00,304 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 34,33,763 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular