Wednesday, November 5, 2025
Google search engine
HomeNewsNationalબજેટ પૂર્વે ઉદ્યોગપતિઓ સાથે નાણાં પ્રધાનનો વિચારવિમર્શ

બજેટ પૂર્વે ઉદ્યોગપતિઓ સાથે નાણાં પ્રધાનનો વિચારવિમર્શ

નવી દિલ્હીઃ આવતા નાણાકીય વર્ષના બજેટ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2021-22ને રજૂ કરતાં પહેલાં ટોચના ઉદ્યોગપતિઓ સાથે વિચારવિમર્શ કર્યો હતો. નાણાપ્રધાને વિવિધ મંત્રાલયો-વિભાગોના સચિવો સાથે આત્મનિર્ભર ભારત પેકેજ (ANBP) ની વ્યાપક સમીક્ષા કરી હતી, એમ નાણાં માહિતી આપી હતી.

એક સત્તાવાર યાદીમાં મંત્રાલયે કહ્યું હતું કે સંબંધિત મંત્રાલયો અને વિભાગોએ ત્રણ આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળની ઘોષણાઓને લાગુ કરવાનું શરૂ કરી દીધું છે.

કોરોના વાઇરસ રોગચાળાને લીધે નાણાકીય વર્ષ 2021-22નું કેન્દ્રીય બજેટ ઘણું મહત્ત્વનું બની રહેશે. બજેટની તૈયારી દરમ્યાન સરકાર એનાથી સંકળાયેલા બધા સ્ટેકહોલ્ડરોની સાતે બેઠક કરીને તેમનો પક્ષ જાણશે. બધા સ્ટેકહોલ્ડરોનાં સૂચનોને ધ્યાનમાં રાખીને બજેટનો મુસદ્દો તૈયાર કરવામાં આવે છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular