Wednesday, January 7, 2026
Google search engine
HomeNewsNationalદેશમાં કોરોનાથી મોતોનો આંકડો ચાર લાખને પાર

દેશમાં કોરોનાથી મોતોનો આંકડો ચાર લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.જોકે દેશમાં કોરોનાથી મોતોનો આંકડો ચાર લાખને પાર થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 46,617 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 853 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,04,58,251 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,00,312 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 2,95,48,302  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 59,384 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,09,637એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.31 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં 18,80,026 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. પોઝિટિવિટી રેટ 2.34 ટકા છે.

દેશમાં 34 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 34,00,76,232 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 42,64,312 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular