Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalકેન્દ્રએ જમ્મુ-કાશ્મીર ડોમિસાઇલ એક્ટમાં સુધારો કર્યો

કેન્દ્રએ જમ્મુ-કાશ્મીર ડોમિસાઇલ એક્ટમાં સુધારો કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે જારી કરાયેલા નવા નિયમ મુજબ ઓછામાં ઓછાં પંદર વર્ષ જમ્મુ-કાશ્મીરમાં રહેતી વ્યક્તિ હવે કેન્દ્રશાસિત પ્રદેશનો રહેવાસી (ડોમિસાઇલ) વ્યક્તિ ગણાશે. કેન્દ્ર સરકારે બહાર પાડેલા તાજેતરના ગેઝેટમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કે કાશ્મીરના પુનર્ગઠન ઓર્ડર, 2020ની કલમ 3A, જમ્મુ-કાશ્મીરની સિવિલ સર્વિસિસ (વિકેન્દ્રીકરણ અને ભરતી)ના અધિનિયમ હેઠળ જણાવવામાં આવે  છે કે જેઓ 15 વર્ષ સુધીના સમયગાળાથી આ રાજ્યમાં રહે છે અને જેમણે  જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાત વર્ષના સમયગાળા માટે અભ્યાસ કર્યો છે અને જેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 10-12ની પરીક્ષા આપી છે તેઓ આ રાજ્યની (ડોમિસાઇલ) વ્યક્તિ ગણાશે.  

પાંચ ઓગસ્ટ પહેલાં ભારતીય બંધારણની કલમ 35 A (હવે રદ કરાયેલી) જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા દ્વારા  જમ્મુ અને કાશ્મીરના રહેવાસીને વ્યાખ્યાયિત કરવાની સત્તા આપી હતી, જે નોકરી માટે  અરજી કરી શકે અથવા સ્થાવર મિલકતની માલિકી ધરાવતી હતી. આ ગેઝેટની વ્યાખ્યામાં વિસ્તરણ કરવામાં આવ્યું છે કે તે કેન્દ્ર સરકારના અધિકારીઓનાં બાળકો, તમામ ભારત સેવા અધિકારીઓ, પીએસયુના અધિકારીઓ અને કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા, જાહેર ક્ષેત્રની બેંકો, માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના અધિકારીઓ, કેન્દ્રીય યુનિવર્સિટીના અધિકારીઓ અને કેન્દ્રીય માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થાઓનો સમાવેશ થાય છે. સરકાર જેણે જમ્મુ અને કાશ્મીરમાં દસ વર્ષના કુલ સમયગાળા માટે સેવા આપી છે અથવા એવા માતા-પિતા પર બાળકો કે જેઓ કોઈ પણ શરતોની શરતોને પૂર્ણ કરે છે.

આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર રાજ્યશાળાના રાહત અને પુનર્વસન કમિશનર (સ્થળાંતર) દ્વારા સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને પણ વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના  આવા રહેવાસીઓનાં બાળકો, તેમની રોજગાર અથવા વ્યવસાય અથવા અન્ય વ્યાવસાયિક અથવા વ્યવસાયિક કારણોસર J&K ની યુ.ટી.ની બહાર રહે છે, પરંતુ. તેમનાં માતાપિતા અગાઉ આપેલી કોઈ પણ શરતોને પૂર્ણ કરે છે. એ અહીંના નાગરિક ગણાશે. આ કાયદાની જોગવાઈ હેઠળ હવે ડોમિસાઇલ સર્ટિફિકેટ તહેસીલદાર આપવા માટે સત્તા બક્ષે છે.

રાજ્યના 29 કાયદાઓ રદ કરવામાં આવ્યા

આ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ ગણવામાં  આવતાં હવે રાજ્યના 29 કાયદાઓને દૂર કરવામાં આવ્યા છે અને 109માં સુધારા કરવામાં આવ્યા છે. કલમ પાચં Aમાં જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિ ચાર અને ચાર કરતાં વધુના પગારધોરણ નિયત કરી શકશે નહીં, સિવાય કે એ જમ્મુ-કાશ્મીર કે કેન્દ્ર શાસિતનો વતની હોય. આ ઓર્ડર દ્વારા કેન્દ્રએ જમ્મુ-કાશ્મીર સિવિલ સર્વિસિસ (વિશેષ જોગવાઈ) એક્ટ દૂર કરવામાં આવ્યો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular