Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalબિનકાશ્મીરી નાગરિક પર આતંકવાદી હુમલોઃ મજૂરોનું પલાયન

બિનકાશ્મીરી નાગરિક પર આતંકવાદી હુમલોઃ મજૂરોનું પલાયન

શ્રીનગરઃજમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહમાં ત્રણ આતંકવાદી હુમલામાં કાશ્મીરી ડોક્ટર સહિત આઠ બિનકાશ્મીરી લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સતત આવી આતંકવાદી ઘટનાઓથી કાશ્મીરમાં કામ કરતા બિનકાશ્મીરી લોકો ડરને કારણે કાશ્મીરથી પલાયન કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી લોકો પર ફરી હુમલો કરવામાં આવ્યો છે. દક્ષિણ કાશ્મીરના તરાલમાં ઉત્તર પ્રદેશના બિજનૌરના રહેવાસી શુભમ કુમાર પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે, પરંતુ પોલીસે આ ઘટનાનો ઇનકાર કર્યો છે કે શુભમ કુમાર હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

શુભમના જમણા હાથ પર ગોળી વાગી છે. સંબંધિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના સવારે છ વાગ્યાની આસપાસ બની હતી.આ પહેલા ગયા રવિવારે આતંકવાદીઓએ પરપ્રાંતીય મજૂરોના કેમ્પને પોતાનું નિશાન બનાવ્યું હતું. જેમાં આઠ લોકોનાં મોત થયાં હતાં. આતંકવાદીઓએ અહીં અંધાધૂંધ ગોળીબારમાં સાત કામદારો અને એક ડોક્ટરને ઠાર માર્યા હતા.

મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સુરંગ બનાવી રહેલા મજૂરોના કેમ્પ પર આતંકીઓએ આ હુમલો કર્યો હતો. આ પછી કેન્દ્રીય મંત્રી અમિત શાહ, CM ઉમર અબદુલ્લા સહિત તમામ નેતાઓએ આ હુમલાની નિંદા કરી હતી. આ આતંકવાદી હુમલા બાદ NIAની ટીમ તપાસ માટે ગગનગીર પહોંચી હતી. હવે હુમલાના ત્રણ દિવસ બાદ પોલીસને આતંકવાદીઓના ફોટો મળ્યા છે.

એક સીસીટીવી ફૂટેજમાં કેમ્પમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો લોકોને નિશાન બનાવ્યા હતા. જોકે પોલીસે આ અંગે હજુ સ્પષ્ટતા કંઈ કરી નથી. આ તસવીરોમાં દેખાતા બંને આતંકવાદીઓ પાકિસ્તાની હોવાની આશંકા છે. આ આતંકવાદીઓએ ઓટોમેટિક હથિયારોથી ગોળીબાર કર્યો હતો. આ સમયે શ્રાણિક ભોજન લેવા વાસણ પાસે આવ્યો હતો. વાસણ અને આખો કેમ્પ ગાઢ જંગલોમાં આવેલો હતો. જેનો ફાયદો ઉઠાવીને આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular