Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalતેજસ્વી યાદવે 'બેરોજગારી હટાવો' અભિયાન શરૂ કર્યું

તેજસ્વી યાદવે ‘બેરોજગારી હટાવો’ અભિયાન શરૂ કર્યું

પટનાઃ  બિહારમાં જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય  માહોલ જામતો જાય છે. પ્રાદેશિક પક્ષો બિહાર સરકારને અનેક મૂંઝવતા સવાલો પૂછી રહી છે અને સરકારની ખામીઓ લોકોને ગણાવી રહી છે. ત્યારે આ જ સંદર્ભે બિહારના ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે બેરોજગાર અભિયાન શરૂ કર્યું છે. તેમણે બિહાર સરકારને 18 સવાલ પૂછીને જવાબ માગ્યો છે. RJDના નેતાએ નીતીશ સરકાર યુવાનો પ્રત્યે ગંભીર ના હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે કરોડો બેરોજગાર યુવાનોના ભવિષ્યથી જોડાયેલા સંબંધિત સવાલોનો સરકાર જવાબ જરૂર આપશે.

રાજ્યમાં આઇટી પાર્ક કેમ નથી બન્યો?

પાર્ટીની ઓફિસમાં તેમણે એક પત્રકાર પરિષદમાં સવાલ કર્યો હતો કે રાજ્યમાં આઇટી કંપનીઓ કેમ નથી આવી શકતી. આઇટી પાર્ક કેમ નથી બન્યો? તેમણે કહ્યું હતું કે માછલીનું ઉત્પાદન વધારીને દરેક જિલ્લામાં માછલી બજારની વય્વસ્થા કેમ નથી કરવામાં આવતી? 15 વર્ષમાં કેટલા ઉદ્યોગ લાગ્યા અને કેટલા જૂના બંધ થયા? RJDના નેતાએ પૂછ્યું હતું કે કેટલા બિહારી બિહારમાં અને કેટલા બહાર કામ કરી રહ્યા છે?  કેટલા લાખો-કરોડો લોકો શિક્ષણ અને સારવારને નામે અન્ય પ્રદેશોમાં ગયા છે? 15  વર્ષની સરકાર એ જણાવે.

પર્યટન કેન્દ્ર કેમ વિકસાવવામાં નથી આવતું?

તેમણે કહ્યું હતું કે બિહારમાં પર્યટનની અગણિત સંભાવનાઓ છતાં અત્યાર સુધી બિહારને પર્યટન કેન્દ્રના રૂપમાં કેમ વિકસિત નથી કરવામાં આવતું. તેમણે યુવકો માટે મિસ્ડ કોલ નંબર પણ જારી કર્યો હતો. તેમણે યુવાનોને મિસ્ડ કોલ કરીને ‘બેરોજગારી હટાવો’ અભિયાનથી જોડાવા અપીલ કરી

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular