Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNational‘ફ્લાઇંગ વિવાદ’ પર સ્વાતિ માલીવાલે સ્મૃતિ ઇરાનીની ટીકા કરી

‘ફ્લાઇંગ વિવાદ’ પર સ્વાતિ માલીવાલે સ્મૃતિ ઇરાનીની ટીકા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ફ્લાઇંગ કિસનો વિવાદ વધી રહ્યો છે. આ વિવાદને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની તેમની પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આ મામલે હવે દિલ્હી મહિલા પંચનાં સ્વાતિ માલીવાલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે એક ફ્લાઇંગ કિસથી આટલી આગ લાગી છે તો બ્રિજભૂષણે યૌન ઉત્પીડન કર્યું, ત્યારે આગ કેમ ના લાગી?

તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે હવામાં ફેંકેલી એક ફ્લાઇંગ કિસથી આટલી આગ લાગી ગઈ. તેમણે કેન્દ્રીય મંત્રીને સવાલ કર્યો હતો કે બીજી હરોળની પાછળ બ્રિજભૂષણ બેઠો હતો, જેણે ઓલિમ્પિયન પહેલવાનોને રૂમમાં બોલાવીને છાતી પર હાથ રાખ્યો હતો અને યૌનશોષણ કર્યું હતું, ત્યારે તમને તેનાં કારનામાંઓ પર ગુસ્સો કેમ ના આવ્યો?

શું છે મામલો?

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ લીધા પછી રાહુલ ગાંધીએ સત્તા પક્ષને જોઈને ફ્લાઇંગ કિસ કરી હતી, જેના પર સ્મૃતિ ઇરાનીએ તીખી આલોચના કરતાં તેમને સ્ત્રીવિરોધી અને દ્વેષી કહ્યા હતા.સંસદમાં આવું અશોભનીય કામ પહેલાં ક્યારેય જોવા નથી મળ્યું.આ ઘટના પછી મહિલા સાસંદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાથી મુલાકાત કરી હતી અને ગાંધી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

રાહુલ ગાંધી પર 20થી વધુ મહિલા સાસંદોએ હસ્તાક્ષર કરીને એક ફરિયાદ પત્રમાં એ આરોપ લગાવ્યો હતો. કે ગાંધીએ અશોભનીય વ્યવહાર કર્યો છે. આ ઘટના પછી મહિલા સાંસદોએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાથી મુલાકાત કરી હતી અને કડક સજાની માગ કરી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular