Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalહરિયાણામાં કુમારી શૈલજા પર વધ્યું સસ્પેન્સ

હરિયાણામાં કુમારી શૈલજા પર વધ્યું સસ્પેન્સ

નવી દિલ્હીઃ હરિયાણા ચૂંટણી માટે મતદાનથી કેટલાક દિવસો પહેલાં કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોંગ્રેસ નેતા સિરસાથી સાંસદ કુમારી શૈલજાને લઈને સસ્પેન્સ ઘેરું બની રહ્યું છે. તેઓ હજી સુધી ચૂંટણીમાં સક્રિય નથી થઈ. તેઓ દિલ્હીમાં નિવાસસ્થાને છે અને માત્ર સમર્થકોને મળી રહી છે. એ દરમ્યાન ભાજપ અને ભૂતપૂર્વ CM ખટ્ટરના દાવાઓ અને ઓફરે રાજકીય ગરમાવો લાવી દીધો છે.

હવે સૌની નજર અંબાલા શહેરમાં કોંગ્રેસઅધ્યક્ષ મલ્લિકાર્જુ ખડગેની જનસભા પર ટકેલી છે. ખડગે અહીં ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના વિશ્વાસપાત્ર અને અંબાલા શહેરના શહેરથી પાર્ટીના ઉમેદવાર નિર્મલ સિંહ માટે ચૂંટણીપ્રચાર કરશે. આવામાં એ જોવું રસપ્રદ રહેશે કે આ જનસભામાં શૈલજા હાજર રહેશે કે કેમ? પાર્ટીએ 12 સપ્ટેમ્બરે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. ત્યાર બાદ શૈલજા પ્રચારથી દૂર છે.

શૈલજા ના માત્ર ટિકિટ વિતરણમાં નજરઅંદાજથી નારાજ છે, પણ તેઓ પર કોંગ્રેસના એક નેતાની જાતિવાદી ટિપ્પણીએ પણ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. આ મુદ્દે હવે ભાજપના નેતાઓને કોંગ્રેસ પર નિશાન સાધવાનુ કામ કર્યું છે. શૈલજાને ભાજપમાં જોડાવા માટેની ખુલ્લી ઓફર આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને અર્જુન રમેઘવાલે કોંગ્રેસમાં શૈલજા અને તેમના મૌનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ખટ્ટરે તો ખુલ્લેઆમ શૈલજાને ભાજપમાં સામેલ થવાની રજૂઆત કરી  હતી. શૈલજા છેલ્લા એક સપ્તાહથી પાર્ટીના ચૂંટણીપ્રચારથી દૂર છે.   બીજી બાજુ, કોંગ્રેસનાં સાંસદ કુમારી શૈલજા પાર્ટીથી નારાજ થયાં છે. એવું કહેવાય છે કે ટિકિટ વહેંચણી મુદ્દે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના કેમ્પને વધુ પ્રાધાન્ય અપાતાં તેઓ નારાજ થયાં છે. આ જ કારણે શૈલજા એક અઠવાડિચાથી પ્રચારમાં જોવા મળ્યા નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular