Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના કેસોમાં ઉછાળોઃ J&Kના ત્રણ જિલ્લામાં માસ્ક ફરજિયાત

કોરોનાના કેસોમાં ઉછાળોઃ J&Kના ત્રણ જિલ્લામાં માસ્ક ફરજિયાત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,557 નવા કેસ નોંધાયા છે. જેમાં ગઈ કાલની તુલનાએ 32.3 ટકાનો વધારો નોંધાયો છે.  છેલ્લા 24 કલાકમાં 40 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 200.61 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,38,03,619 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

રાજસ્થાનમાં કોરોના વાઇરસના સંક્રમણના 180 નવા કેસ નોંધાયા છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 616 નવા કેસ નોંધવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના દર્દીઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં લેતાં જમ્મુ-કાશ્મીરના ત્રણ જિલ્લાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.  દેશમાં અત્યાર સુધી 5,25,825 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,31,32,140 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 18,517 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,45,654એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.33 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.47 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,98,034 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 87.04 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.13 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.64 ટકા છે.

દેશમાં 200.61 લાખથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,00,61,24,684 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 26,04,797 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular