Saturday, June 14, 2025
Google search engine
HomeNewsNationalસુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવા માટે આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવા માટે આપ્યો આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે છ મહિનામાં શંભુ બોર્ડરને આંશિક રીતે ખોલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ્બ્યુલન્સ, સિનિયર સિટિજન્સ, મહિલાઓ અને વિદ્યાર્થીઓ વગેર માટે હાઇવે ખોલવાનો આદેશ આપ્યો છે. હાઇવેની બંને બાજુ એક-એક લેન ખોલવાનો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે હરિયાણા અને પંજાબના પોલીસ અધિકારીઓને આ સંબંધે એક સપ્તાહમાં મીટિંગ કરીને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 22 ઓગસ્ટે કરવામાં આવશે.

કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે શંભુ બોર્ડરની એક લેનને લોકો માટે ખોલી શકાય છે. હાઇવે ટ્રેક્ટરોના પાર્કિંગ માટે નથી. કોર્ટે હરિયાણા અને પંજાબના DGPને બોર્ડર ખોલવા માટે એક સપ્તાહમાં બેઠક કરીને રૂપરેખા બનાવવા માટે કહ્યું છે. કોર્ટે સુનાવણી દરમ્યાન બોર્ડર બંધ થવાથી સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પહેલાં પહેલાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે શંભુ બોર્ડર ખોલવા નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટનો આદેશ 10 જુલાઈએ આવ્યો હતો. હાઇકોર્ટના આદેશની વિરુદ્ધ હરિયાણા સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી.

કોર્ટે પંજાબ સરકારને પ્રદર્શનકારી ખેડૂતોને શંભુ બોર્ડરથી રસ્તા પરથી ટ્રેક્ટર દૂર કરવા માટે સમજાવવા નિર્દેશ આપ્યા છે. કોર્ટ એ દરમ્યાન ખેડૂતોના પ્રદર્શનને લઈને નારાજગી પણ વ્યક્ત કરી હતી. કોર્ટે  ખેડૂતોથી વાત કરવા માટે પ્રસ્તાવિત સમિતિ માટે બિન રાજકીય નામ સૂચવવા માટે પંજાબ, હરિયાણા સરકારોની પ્રશંસા કરી હતી.

બીજી તરફ ફેબ્રુઆરીથી અડગ ખેડૂતોએ હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી કૂચનું એલાન કરી દીધું હતું. સંયુક્ત કિસાન મોરચાના બિનરાજકીય સભ્ય જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું હતું કે અમે શંભુ બોર્ડર ખુલતાની સાથે જ તેઓ દિલ્હી કૂચ કરશે. 15મી ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ ટ્રેક્ટર માર્ચ દેશભરમાં કાઢવામાં આવશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular