Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalસુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી અજાણી વાતો

સુભાષચંદ્ર બોઝ સાથે જોડાયેલી અજાણી વાતો

નવી દિલ્હીઃ “તુમ મુજે ખુન દો, મે તુમ્હે આઝાદી દૂંગા” ના પોતાના વાયદા અંતર્ગત દેશને આઝાદી અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપનાર સુભાષચંદ્ર બોઝનું જીવન આમતો તેની વીરતાના દ્રષ્ટાંતો અને વાતો સાથે યાદ કરવામાં આવે છે પરંતુ સંઘર્ષ સાથે જીવનના રહસ્યો માટે તો માત્ર સુભાષચંદ્ર બોઝને જ યાદ કરવામાં આવે છે. તેમના 123 મા જન્મ દિવસ પર તેમના જીવનના રહસ્યો વિશે વાત કરીએ કે જેનાથી ઘણા લોકો અજાણ છે.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી, તે બધાને ખબર છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે આ પહેલા તેમણે યૂનિફોર્મ વોલેન્ટિયર કોર નામથી એક ફોર્સ બનાવી હતી. નેતાજી શરુઆતથી સૈન્ય શિસ્તમાં માનતા હતા. આ જ ઉદ્દેશ્યથી તેમણે આ ફોજ બનાવી હતી. નેતાજી યૂનિફોર્મ વોલેન્ટિયર કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ હતા. નેતાજી વોલેન્ટિયર કોરના સભ્યો સાથે રોજ સવારો કોલકત્તામાં લોંગ માર્ચ, ડ્રિલ, ઘોડેસવારી, બંદૂકબાજી, કસરત કરતા હતા. આ સૈન્ય તાલીમ જેવું જ હતું.

ઓડીસાના કટકમાં આજના દિવસે જ 1887 માં એક સંપન્ન બંગાળી પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણ ઓડિસામાં વિત્યું હતું. પ્રાથમિક અભ્યાસ બાદ દર્શનશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન માટે કોલકત્તાના પ્રેસીડેન્સી કોલેજમાં એડમિશન લીધું હતું. દેશને આઝાદી અપાવવામાં તેમની લાંબી યાત્રા બાદ તેમની સાથે જોડાયેલા ઘણા રહસ્યો આજે અકબંધ છે. વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ભલે તેમના મૃત્યુના કારણોને સ્પષ્ટ કરી દેવામાં આવ્યા પરંતુ આ નિર્ણય તેમના પરિવાર અને તેમની સાથે જોડાયેલા લોકોના મન અને હ્યદયમાં દર્દ સાથે ઘણા સવાલો પણ ઉભા કરી જાય છે.

1919 માં તેઓ બ્રિટન ગયા અને આઈસીએસની પરિક્ષા પણ પાસ કરી. વિદેશી સરકાર સાથે કામ ન કરવાની ઈચ્છાના કારણે તેમણે 1921 માં રાજીનામુ આપ્યું અને પાછા ભારત આવી ગયા.

1937 માં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. 1939ના કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે પણ તેઓ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. મહાત્મા ગાંધીએ પટ્ટાભિ સીતારમૈયાને ઉભા રાખ્યા હતા અને ચૂંટણીમાં સીતારમૈયા હારી ગયા. કોંગ્રેસના અસહયોગને લઈને તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.

22 જૂન 1939 ના રોજ આ સંસ્થાનું ગઠન કર્યું. બે જુલાઈ, 1940 ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને કોલકત્તાના પ્રેસીડેન્સી જેલમાં તેમને રાખવામાં આવ્યા.

અફઘાનિસ્તાનના રસ્તે તેઓ સોવિયત સંઘ પહોંચ્યા. ત્યાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સ્ટાલિન પાસે મદદ માંગી પરંતુ તેણે ઈનકાર કર્યો. 1943 માં સિંગાપુર પહોંચીને આઝાદ હિંસ ફોજની કમાન સંભાળી. જાપાને સમર્થન આપ્યું. 1945 માં તેમનું વિમાન દુર્ઘટનામાં મોત થયું હોવાના સમાચારો આવ્યા.

બાદમાં 1982 નો માર્ચ મહિનો અને લગભગ અડધી રાત્રી પસાર થઈ ચૂકી હતી અને વ્હીલ ચેર પર એક વૃદ્ધને લઈને કેટલાક શિષ્યો ગેટની અંદર પ્રવેશ્યા. ભવનના પૂર્વી ઉત્તરી ભાગમાં આ વૃદ્ધ રહેવા લાગ્યા. તેમનો સામાન ધીરે-ધીરે એક માસ સુધી આવતો રહ્યો. ત્યારબાદ છ મહીના પછી ચર્ચાઓ શરુ થઈ કે આ વૃદ્ધ સુભાષચંદ્ર બોઝ છે. અઢી વર્ષ સુધી તેઓ આ ઘરમાં રહ્યા પરંતુ તેમને કોઈએ જોયા નહોતા. વર્ષમાં બે વાર કોલકત્તાથી એક વિશેષ સભ્યોની ટીમ અહીંયા દુર્ગા પૂજા માટે આવતા હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular