Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalસ્ટેટ બેન્ક બેરહેમ અને અયોગ્ય છેઃ નાણાપ્રધાન સીતારામન

સ્ટેટ બેન્ક બેરહેમ અને અયોગ્ય છેઃ નાણાપ્રધાન સીતારામન

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્ક અને તેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે સૌથી મોટી સરકારી બેન્ક હદયવિહીન અને અક્ષમ છે. તેમણે આવું એટલા માટે કહ્યું કેમ કે આસામમાં ચાના બગીચાના કામ કરતા કામદારોના અઢી લાખ બેન્ક ખાતાં કાર્યરત નહોતા થયાં. તેમનો સ્ટેટ બેન્કના ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતો વિડિયો વાઇરલ થયો છે.

સીતારામન સ્ટેટ બેન્ક પર થયા લાલઘૂમ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્કના ચેરમેનને કહ્યું હતું કે મને ગેરમાર્ગે ના દોરો, તમે મને આ મામલે દિલ્હીમાં મળો અને આ બાબતને હું છોડીશ નહીં. આ પૂરેપૂરી કામચોરી છે. આ નિષ્ફળતા માટે હું સંપૂર્ણ રીતે તમને જવાબદાર ગણું છું અને આ મુદ્દે હું તમારી સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશ. તમે ચા બગીચાના કોઈ પણ કામદારને નુકસાન ના થવું જોઈએ અને જલદીમાં જલદી તેમનાં ખાતાં ખૂલી જવાં જોઈએ.

 

ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC) એસોસિયેશનનો દાવો છે કે સોશિયલ મિડિયા પર વાઇરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં એ ખુલાસો થાય છે કે નાણાપ્રધાને ફેબ્રુઆરીમાં આયોજિત એક સંપર્ક કાર્યક્રમમાં એસબીઆઇના ચેરમેનને આડે હાથ લીધા હતા. નાણાપ્રધાને એસબીઆના ચેરમેન રજનીશકુમારની તીખી આલોચના કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે તેઓ ઋણ દેવામાં વિશેષરૂપે ચાના બગીચામાં કામદારોને લોન આપવામાં નિષ્ફળ રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular