Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalદિલ્હીને વર્લ્ડ ક્લાસ સીટી બનાવવા કેજરીવાલે વડાપ્રધાનને વાત કરી

દિલ્હીને વર્લ્ડ ક્લાસ સીટી બનાવવા કેજરીવાલે વડાપ્રધાનને વાત કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ગઈકાલે બધાને પોતાની તરફ આકર્ષ્યા હતા. આ પરિણામોંમાં આમ આદમી પાર્ટીએ એકવાર ફરીથી શહેરની 62 સીટો પર જીત મેળવતા સત્તા પોતાના પક્ષમાં કરી લીધી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની જીત પર વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને તેમને શુભેચ્છાઓ આપી, જેના પર તેમને ધન્યવાદ આપતા અરવિંદ કેજરીવાલે દિલ્હીને વર્લ્ડ ક્લાસ સીટી બનાવવાની વાત કહી. અરવિંદ કેજરીવાલના આ ટ્વીટ પર બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે પણ જવાબ આપ્યો અને તેમણે અરવિંદ કેજરીવાલને દિલ્હીને પ્રદુષણ મુક્ત બનાવવાની વાત યાદ અપાવી.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો ગઈકાલે આવ્યા, જેમાં ભાજપ માત્ર 8 સીટો પર સમેટાઈ ગઈ અને કોંગ્રેસ તો પોતાનું ખાતુ પણ ન ખોલી શકી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આ હેટ્રીક અને તેણે બીજીવાર પ્રચંડ બહુમતી સાથે સત્તામાં વાપસી કરી છે. જો કે આમ આદમી પાર્ટીને 2015 ના મુકાબલે 5 સીટોનું નુકસાન થયું છો, તો ભાજપને આટલી સીટોનો ફાયદો થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular