Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalહિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં: અજીત ડોભાલ

હિંસાગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં: અજીત ડોભાલ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી હિંસાની આગમાં સળગી રહ્યું છે. નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઇને શરૂ થયેલી હિંસાએ દિલ્હી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ હિંસામાં કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને હિંસા રોકવાની જવાબદારી સોંપવામા આવી.

અજીત ડોભાલે આજે સીલમપુર વિસ્તારમાં ડીસીપી ઓફિસ ગયા બાદ ફરી હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ડોભાલે મૌજપુર, જાફરાબાદ, ઘોંડાની મુલાકાત લીધી. આ પહેલા પણ જાફરાબાદ, સીલમપુર સહિત નોર્થ-ઇસ્ટ દિલ્હીના કેટલાક વિસ્તારોની ડોભાલ મુલાકાત લીધી હતી.

હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પછી એનએસએ અજીત ડોભાલે કહ્યું કે પોલીસ ઉતાવળથી કામ કરી રહી છે. સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. લોકો સંતુષ્ટ છે. મને કાયદો અને વ્યવસ્થા એજન્સીઓ પર ભરોસો છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.

આ દરમ્યાન ડોભાલે નોર્થ-ઈસ્ટના સ્થાનીક લોકો સાથે વાતચીત પણ કરી. લોકો સાથે વાત કરતા ડોભાલે કહ્યું કે, પ્રેમની ભાવના બનાવી રાખો. આપણો એક દેશ છે. આપણે સૌએ મળીને રહેવાનું છે. દેશમાં સૌએ સાથે મળીને આગળ વધવાનું છે.

એનએસએ અજીત ડોભાલ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને પરિસ્થિતિની માહિતી આપશે. એનએસએએ સ્પષ્ટ કરી દીધું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં અરાજકતા સહ્નન કરવામાં નહીં આવે. જરૂરી સંખ્યામાં પોલીસ દળ અને અર્ધસૈનિક દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular