Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalપ્રજ્વલ રેવન્નાનો પાસપોર્ટ રદ કરવા સિદ્ધારમૈયા સરકારની વિનંતી

પ્રજ્વલ રેવન્નાનો પાસપોર્ટ રદ કરવા સિદ્ધારમૈયા સરકારની વિનંતી

બેંગલુરુઃ વિદેશ મંત્રાલયને કર્ણાટક સરકારની વિનંતી પર જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડ થયેલા સાંસદ પ્રજ્વલ રેવન્નાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની માગ કરવામાં આવી છે, જેમના પર કેટલીય મહિલાઓના યૌન ઉત્પીડનનો આરોપ છે.

વિદેશ મંત્રાલયને કર્ણાટક સરકારે એક પત્ર મોકલ્યો છે, જેમાં રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવાની માગ કરવામાં આવી છે.  ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવેગૌડાના દોહિત્ર રેવન્ના યૌન શોષણ મામલે કેન્દ્રમાં છે અને કહેવામાં આવે છે કે હસન સાંસદે પોતાના ચૂંટણી ક્ષેત્રમાં લોકસભા ચૂંટણી માટે મતદાન હોવાના એક દિવસ પછી ગયા મહિનના અંતમાં ભારત છોડી દીધું હતું, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. 

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પાસપોર્ટ રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક વિશેષ કોર્ટે SIT દ્વારા દાખલ એક અરજી પછી શનિવારે પ્રજ્વલની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. આ મહિનાના પ્રારંભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે રેવન્નાએ ડિપ્લોમેટ પાસપોર્ટ પર જર્મનીની યાત્રા કરી હતી અને યાત્રા માટે મંજૂરી નહોતી માગી. રેવન્નાની જર્મની યાત્રા સંબંધમાં વિદેશ મંત્રાલયથી ના તો કોઈ રાજકીય મંજૂરી માગવામાં આવી હતી અને ના તો એ જારી કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

PM મોદીથી માગ

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને JDS સાંસદ પ્રજ્વલનો ડિપ્લોમેટ પાસપોર્ટ રદ કરવાની વિનંતી કરી હતી. તેમણે વડા પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ એક શરમજનક છે કે રેવન્ના 27 એપ્રિલે જઘન્ય કૃત્યો બહાર આવ્યા અને FIR નોંધાવાના કેટલાક કલાકો પહેલાં પોતાના રાજદ્વારી પાસપોર્ટનો ઉપયોગ કરીને દેશ છોડીને જર્મની ભાગી ગયા હતા.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular