Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalમોદીની વાતો માત્ર 'ફીલ ગુડ મોમેન્ટ' : શશી થરૂર

મોદીની વાતો માત્ર ‘ફીલ ગુડ મોમેન્ટ’ : શશી થરૂર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સંક્રમણ સામેની લડાઈમાં દેશની સામૂહિક શક્તિના મહત્ત્વને બતાવવા માટે રવિવારે પાંચ એપ્રિલે રાત્રે નવ વાગ્યે દેશવાસીઓને તેમનાં ઘરોની બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ કરવા અપીલ કરી છે. જે પછી કોંગ્રેસ તરફથી પહેલી પ્રતિક્રિયા શશી થરૂરે આપી છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને પોતાના સંબોધનમાં લોકોકનાં દર્દ, તેમનો બોધપાઠ અને તેમની નાણાકીય ચિંતાઓ વિશે કંઈ કહ્યું નથી. બસ વડા પ્રધાન મોદીની ફીલ ગુડ મોમેન્ટ હતી.

તેમણે વડા પ્રધાનના સંબોધન પછી ટ્વીટ કરતાં કહ્યું છે કે હમણાં પ્રધાન શોમેનની વાતો સાંભળી. લોકોનાં દર્દ, તેમના અનુભવ, તેમની નાણાકીય ચિંતાઓ દૂર કરવા માટે તેમણે કંઈ નહીં કહ્યું. ભવિષ્યને લઈને કોઈ દ્રષ્ટિ નહીં અથવા એ મુદ્દે કોઈ વાત નહીં. જે વિશે લોકડાઉન પછીના માહોલમાં વાત કરવાનો ઇરાદો હોય. બસ ભારતના ફોટો-ઓપ પ્રધાનમંત્રી દ્વારા તૈયાર કરવામાં આવલી ફીલ ગુડ મુવમેન્ટ હતી.

વડા પ્રધાને વિડિયો સંદેશમાં શુ કહ્યું

વડા પ્રધાન મોદીએ તેમના વિડિયો સંદેશમાં કહ્યું હતું કે આપણે કોરોના વાઇરસ સામેની લડાઈમાં 130 કરોડ દેશવાસીઓના મહાસંકલ્પને નવી ઊંચાઈઓ પર લઈ જવી છે. એટલા માટે પાંચ એપ્રિલે રવિવારે રાત્રે નવ કલાકે તમારા સૌની નવ મિનિટ ઇચ્છું છું. તમે ઘરની બધી લાઇટ બંધ કરીને કરના દરવાજે અથવા બાલ્કની પર ઊભા રહીને નવ મિનિટ માટે સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ  કરજો. તેમણે કહ્યું હતું કેક કોવિડ-19ના સંકટના અંધકારને પડકાર આપવાન છે. મોદીએ લોકોને સમાજિક ડિસ્ટન્સિંગ પણ રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંક્રમણની ચેઇન તોડવા માટે આ રામબાણ ઇલાજ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular