Thursday, June 12, 2025
Google search engine
HomeNewsMumbaiશરદ પવારનો જ અજિત પવારને ભાજપ સાથે વાત કરવાનો નિર્દેશઃ ભુજબળ

શરદ પવારનો જ અજિત પવારને ભાજપ સાથે વાત કરવાનો નિર્દેશઃ ભુજબળ

નવી દિલ્હીઃ NCP પ્રમુખ શરદ પવારની નજીકના સહયોગીઓમાંના એક છગન ભુજબળે- કે જેઓ હવે મંત્રી છે, તેઓ બીડ સભામાં શરદ પવાર પર હુમલો કરવામાં સૌથી આગળ હતા. તેમની તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો ઉપયોગ કરીને ભાજપ સાથે વાતચીત કરવાનો અને પછીથી પાછળ હટવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે શરદ પવારે જ અજિત પવારને ભાજપ સાથે વાતચીત કરવા કહ્યું હતું.

તેમણે સવાલ કર્યો હતો કે હું તમને 2014થી આજ સુધીની ઘટનાઓ વિશે પૂછું છું. તમે (શરદ પવારે) અજિત પવાર, પ્રફુલ્લ પટેલ અને જયંત પાટિલને દિલ્હી જવા –ચર્ચા કરવા અને મંત્રીપદની સાથે-સાથે વિધાનસભ્ય અને સાંસદની સીટો માગવા કહ્યું હતું.

તેમણે આરોપ લગાવ્યો હતો કે જે લોકો પવારના મંચથી ભાષણ આપી રહ્યા છે, એ બધા ભાજપ સાથે હાળ મિલાવવાના પત્ર પર હસ્તાક્ષરકર્તા છે. એ ભુજબળનું વિધાનસભા ક્ષેત્રે યેઓલા હતું, જ્યાં અજિત પવાર અને તેમના સમર્થક નેતાઓના વિદ્રોહ પછી પાર્ટીના પુનર્નિમાણ કરવાની ઘોષણા કર્યા પછી પવારે જાહેર સભા કરી હતી.  

ભુજબળે આરોપ લગાવ્યો હતો કે યેઓલામાં તમે મને ટિકિટ આપવા માટે લોકોથી માફી માગી હતી, પરંતુ એ સ્થિતિમાં તમે કેટલી વાર માફી માગશો? ભંડારાથી કોલ્હાપુર સુધી? કેમ કે બધા 54 તૈયાર છે. એ તમે જ હતા, જેમણે અમને રસ્તો દેખાડ્યો હતો.  અહીં એકત્ર થયેલા લોકો સાક્ષી છે કે NCP અજિત દાદાની સાથે છે અને NCPના અધ્યક્ષ અજિત દાદા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular