Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalશંભુ બોર્ડર હજી નહીં ખૂલેઃ સુપ્રીમ કોર્ટ

શંભુ બોર્ડર હજી નહીં ખૂલેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ શંભુ બોર્ડર ખોલવાની માગને લઈને હરિયાણા-પંજાબ બોર્ડરના આદેશ પછી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યેં હતું કે આ મામલે એક સ્વતંત્ર કમિટી બનાવવામાં આવે, જેમાં રાજ્ય સરકારના લોકો અને કૃષિ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવે.

હરિયાણા સરકાર તરફથી સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું હતું કે જનતાની મુશ્કેલીઓને અમે પણ ચિંતિત છીએ, પરંતુ ટ્રેક્ટર-ટ્રોલી પંજાબથી દિલ્હી તરફ જવા ઇચ્છે છે. અમે લોકોની અસુવિધાને ધ્યાન છે, પરંતુ બોર્ડરની બીજી તરફ 500 ટ્રેક્ટર-ટ્રોલી બખ્તરબંધ તરીકે હાજર છે, એમ તેમણે જણાવ્યું હતું, ત્યારે કોર્ટે સવાલ કર્યો હતો કે જો તેઓ ટ્રેક્ટર વિના દિલ્હી આવે છે તો? તમે તેમની સાથે વાત કરવાના પ્રયાસ કર્યા છે?

શું તમે વિશ્વાસ જીતવાના પ્રયાસ કર્યા. જો તમે વાતચીત માટે મંત્રી મોકલશો તો તેઓ સમજશે કે તેઓ સરકારનો પક્ષ રાખવા જઈ રહ્યા છેકોઈ અન્યને મોકલવાનું નથી વિચારી રહ્યા?

પંજાબ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે બોર્ડર સીલ કરવા માટે પંજાબને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. કોર્ટે કહ્યું હતું કે અમે અહીં પંજાબ અને હરિયાણાની વચ્ચે વિવાદ સાંભળવા નથી આવ્યા. કોર્ટે કહ્યું હતું કે એક સપ્તાહ પછી આ મામલાની સુનાવણી કરવામનીમ આવશે.પંજાબ સરકારે કહ્યું છે કે હરિયાણા સરકાર બોર્ડર ખોલવા પર વિચાર કરે, જેથી લોકોને અસુવિધા ના થાય.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular