Friday, August 1, 2025
Google search engine
HomeNewsNationalકેમ ‘સંવિધાન’ બન્યો ઓક્સફર્ડનો 2019 નો હિન્દી શબ્દ?

કેમ ‘સંવિધાન’ બન્યો ઓક્સફર્ડનો 2019 નો હિન્દી શબ્દ?

નવી દિલ્હી: ઑક્સફોર્ડ દ્વારા ‘સંવિધાન’ શબ્દને વર્ષ 2019ના હિન્દી શબ્દ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ‘સંવિધાન’ (બંધારણ) શબ્દને ઑક્સફોર્ડ હિન્દી વર્ડ ઓફ ધ યર 2019માં તરીકે પસંદ કરવા પાછળ ખાસ કારણ છે. આ શબ્દ ગયા વર્ષની પ્રકૃતિ, મિજાજ, માહોલ અને માનસિકતાને વ્યક્ત કરવાની સાથે તેના સ્થાયી સાંસ્કૃતિક મહત્વને કારણે પસંદ કરવામાં આવ્યો છે.

ઑક્સફોર્ડે ભાષા (Oxford Languages)ની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર વર્ષના હિન્દી શબ્દ તરીકેની પસંદગી માટે ઑક્સફોર્ડે હિન્દી બોલતા લોકો પાસેથી તેમના ફેસબુક પેજના માધ્યમથી સૂચનો મંગાવ્યા હતા જેને ઉત્સાહજનક પ્રતિક્રિયા મળી હતી. લોકોએ સેકડો જૂદા જૂદા અને વિચારશીલ પ્રતિક્રિયા મોકલી. ઑક્સફોર્ડે વર્ષના હિન્દી શબ્દની પસંદગી માટે હિન્દી ભાષાના નિષ્ણાતોએ તેમના સલાહકાર મંડળ સાથે લોકો દ્વારા મોકલાવેલી પ્રતિક્રિયાની સમીક્ષા કરી તેનું વિશ્લેષણ કરી તેના પર વિચાર-વિમર્શ કર્યો અને પછી એકમત નિર્ણય લીધો.

સંવિધાન કોઈ પણ રાષ્ટ્ર કે સંસ્થા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા એ લેખિત નિયમો હોય છે જેના આધાર પર એ રાષ્ટ્ર કે સંસ્થાનું સુચારુ રીતે સંચાલન કરી શકાય. ભારતનું સંવિધાન 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. સંવિધાન સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં આપણા સંવિધાનને તૈયાર કર્યું હતું. સંવિધાન સભાના સભ્યો ભારતના રાજ્યોની સભાઓના નિર્વાચિત સભ્યો દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા.

જવાહરલાલા નેહરુ, ડૉ ભીમરાવ આંબેડકર, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ સભાના પ્રમુખ સભ્યો હતો. ઑક્સફોર્ડ અનુસાર વર્ષ 2019માં ભારતના સંવિધાને ભારતની સામાન્ય પ્રજા માટે નવા સ્તરેથી મહત્વ પ્રાપ્ત કર્યું. ગયા વર્ષે સંવિધાનના સિદ્ધાંતોના પ્રભાવને અલગ રીતે અનુભવાયો હતો.

વર્ષ 2019માં કર્ણાટકમાં ધારાસભ્યોની અયોગ્યતા, મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ, અયોધ્યા મંદિર-બાબરી મસ્જિદ, સબરીમાલા મંદિર વિવાદ, જમ્મુ-કશ્મીર આર્ટિકલ 370 વગેરે જેવા મુદ્દાઓને કારણે ભારતનું બંધારણ (સંવિધાન) ચર્ચામાં રહ્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular