Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalસાબરમતી ટુ પ્રયાગરાજઃ અતીક અહેમદને લેવા પહોંચી UP પોલીસ

સાબરમતી ટુ પ્રયાગરાજઃ અતીક અહેમદને લેવા પહોંચી UP પોલીસ

નવી દિલ્હીઃ પ્રયાગરાજના ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવનકેદની સજા થયા પછી માફિયા ડોન અતીક અહેમદને ફરીથી ગુજરાતની સાબરમતી જેલમાં પહોંચાડવામાં આવ્યો હતો. હવે ફરી તેને પ્રયાગરાજ લાવવા માટે UP પોલીસ પહોંચી રહી છે. UP પોલીસ અતીક અહેમદને લેવા સાબરમતી જેલ પહોંચી ચૂકી છે.

ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ 2019થી અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે. અતીક અહેમદમને હાઇ સિક્યોરિટી ઝોનના બેરેક નંબર 200માં ખસેડવામાં આવ્યો હતો. જોકે માત્ર જગ્યા જ બદલવામાં આવી છે, પરંતુ તેની સુરક્ષા યથાવત્ જ રાખવામાં આવી હતી. આજે ઉમેશ પાલ હત્યા કેસમાં ફરી અતીકને લેવા યુપી પોલીસ અમદાવાદ આવી છે, જેમા ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર, 30 કોન્સ્ટેબલનો કાફલો, એક જીપ અને બે કેદી ગાર્ડ વાહનો ત્યાં હાજર છે. પ્રાપ્ત માહિતી અનુસાર માફિયા અતીકની સામે UPમાં એક વધુ FIR નોંધવામાં આવ્યો છે. ચાર વર્ષ જૂના કેસમાં પ્રયાગરાજના ધૂમનગંજ સ્ટેશનમાં અતીક અને તેના પુત્ર અલી અહમદ સહિત 13 લોકોની સામે FIR નોંધવામાં આવેયો હતો. અતીકની સામે IPCની કલમ 147,148, 149, 307, 386, 286, 504, 506 અને 120 B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઉમેશ પાલ અપહરણ કેસમાં સુનાવણી માટે તેને સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની MP MLA કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે અતીક અહેમદ, વકીલ ખાન સુલત હનીફ અને તેના નજીકના મિત્ર દિનેશ પાસીને આજીવન કેદની સજા સંભળાવી. જોકે આ કેસમાં સાત લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સજા બાદ સાબરમતી જેલમાં અતીકને ફરીથી લાવવામાં આવ્યો હતો.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular