Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalધાર્મિક ઇમારતો લોકોની જિંદગીમાં અડચણ ના બની શકેઃ સુપ્રીમ કોર્ટ

ધાર્મિક ઇમારતો લોકોની જિંદગીમાં અડચણ ના બની શકેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી બુલડોઝર એક્શનની વિરુદ્ધ દાખલ જમિયત ઉલેમા એ હિંદની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. પાછલી સુનાવણી દરમ્યાન કોર્ટે બુલડોઝર કાર્યવાહી કરવા પર સ્ટે મૂકતાં કહ્યું હતું કે માત્ર જાહેર સ્થળોએ અતિક્રમણને દૂર કરવાની છૂટ હશે.

જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.  કોર્ટે રસ્તાઓ, ફૂટપાથ અને રેલવે લાઇનના ગેરકાયદેર અતિક્રમણ પર કાર્યવાહીને થવી જ જોઈએ.

આ. સુનાવણીમાં SG તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. એમ પણ કહ્યું હતું કે એક ચોક્કસ સમુદાય પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થયા છે. જે ખોટા છે.

જસ્ટિસ ગવઈએ કહ્યું  હતું કે મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે, કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલાં આવે છે. તેમણે કહ્યું હતું કે વિધ્વંસ માત્ર એટલે ના કરી શકાય કે કોઈ વ્યક્તિ આરોપી કે દોષી છે. અમે કોર્ટોને ગેરકાયદે બાધકામ કેસોની સુનાવણી કરતાં સતર્ક રહેવાનો નિર્દેશ આપીશું.  જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે વિધ્વંસની સંખ્યા આશરે 4.5 લાખ છે. જેના પર SGએ કહ્યું હતું કે આ મારી વાસ્તવિક ચિંતા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જો કાર્યવાહી બે અઠવાડિયાં સુધી રોકવામાં આવશે તો આકાશ નહીં તૂટે.

જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે અમે પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જાહેર રસ્તાઓ, જળાશયો, રેલવે લાઈનો, મંદિર હોય કે દરગાહ, પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવશે. જાહેર સલામતી મોખરે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular