Friday, June 13, 2025
Google search engine
HomeNewsNationalડેરા સચ્ચા સૌદાપ્રમુખ રામ રહીમને હાઇકોર્ટમાંથી રાહત

ડેરા સચ્ચા સૌદાપ્રમુખ રામ રહીમને હાઇકોર્ટમાંથી રાહત

ચંડીગઢઃ  ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ માટે મંગળ વાર રાહત ભર્યો સાબિત થયો હતો. રામ રહીમને હત્યાને મામલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે છોડી મૂક્યો હતો. રામ રહીમ સાથે ચાર અન્ય લોકોને પણ કોર્ટે આ આરોપમાંથી છોડી મૂક્યા હતા. 2021માં રામ રહીમને અને અન્ય ચાર લોકોને ડેરા મેનેજર રણજિત સિંહની હત્યાનું કાવતરું રચવા માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. રામ રહીમને બે શિષ્યાઓ સાથે બળાત્કાર માટે પણ દોષી ઠેરવવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી, પણ હવે હાઇકોર્ટે આ કેસમાં તેમને નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે.

2021માં પંચકુલાની વિશેષ CBI કોર્ટે રામ રહીમ અને અન્ય ચારને આજીવન કેદની સજા સંભળાવી હતી. 10 જુલાઈ 2002એ કુરુક્ષેત્રના ખાનપુર કોલિયામાં રણજિત સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.  ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમે CBI કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ્વર ઠાકુર અને જસ્ટિસ લલિત બત્રાની ડિવિઝન બેન્ચે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે ચુકાદામાં CBI કોર્ટના નિર્ણયને રદ કર્યો હતો.તેમના વકીલે કહ્યું હતું કે આ ચુકાદાનું અમે સ્વાગત કરે છીએ. જોકે સામે પક્ષે કોર્ટે પૂરો આદેશ જારી નથી કર્યો.જોકે રામ રહીમ પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા અને બળાત્કારના કેસમાં દોષી છે. આ સિવાય તેની સામે ઘણા કેસ પેન્ડિંગ છે. રામ રહીમે બળાત્કાર અને છત્રપતિ હત્યા કેસ પર નીચલી કોર્ટના નિર્ણયને પણ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે તે સ્પષ્ટ છે. રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે.

 

 

 

 

 

 

 

 

Relief to Dera Sacha Sauda President Ram Rahim from High Court

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular