Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsNationalયુરોપના દેશો સાથે સંબંધો વધુ ગાઢ બનાવાશેઃ PM મોદી

યુરોપના દેશો સાથે સંબંધો વધુ ગાઢ બનાવાશેઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ત્રિદિવસીય યુરોપના ત્રણ દેશોના પ્રવાસે ગયા છે. આ યુરોપ પ્રવાસ દરમ્યાન તેમનું ફોકસ રિન્યુએબલ એનર્જી પર અને યુરોપના દેશો અને ભારત વચ્ચે સહકાર વધારવા પર રહેશે, એમ તેમણે આ પ્રવાસે જતા પહેલાં કહ્યું હતું. વડા પ્રધાન મોદી યુરોપના ત્રણ દેશોના પ્રવાસમાં કુલ 65 કલાકમાં 25 બેઠકોમાં સામેલ થશે. આ પ્રવાસમાં તેઓ આઠ વૈશ્વિક નેતાઓને મળશે. વર્ષ 2022નો આ PM મોદીનો પહેલો વિદેશ પ્રવાસ છે.મારો પ્રવાસ એવા સમયે છે, જ્યારે આ પ્રદેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

PM  મોદી આ પ્રવાસમાં ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓને મળશે. તેઓ એક-એક રાત જર્મની અને ડેન્માર્કમાં રાત્રિ-રોકાણ કરશે. એ પછી તેઓ ફ્રાંસ જઈને ફરી એક વાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતેલા ઇમાન્યુઅલ મેક્રોને મળશે. તેઓ જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝની સાથે દ્વિપક્ષી વાટાઘાટ યોજશે. PM મોદી અને શોલ્ઝ છઠ્ઠી ભારત-જર્મની ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલ્ટેશન (IGC)ની અધ્યક્ષતા કરશે. બર્લિન બાદ તેઓ કોપનહેગન જશે. ત્યાં તેઓ ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડા પ્રધાનો સાથેની ઇન્ડિયા-નોર્ડિંક સમિટમાં અધ્યક્ષતા કરશે. તેઓ અહીં ઇન્ડિયા-ડેન્માર્ક બિઝનેસ ફોરમની સાથે-સાથે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. આ પહેલાં પહેલી ભારત નોર્ડિક સમિટ 2018માં સ્ટોકહોમમાં થઈ હતી.

વિદેશ પ્રવાસના છેલ્લા ભાગમાં વડા પ્રધાન મોદી ફ્રાંસમાં રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રો સાથે વાતચીત કરશે. ભારત અને ફ્રાંસની વચ્ચે આ વર્ષે કૂટનીતિ સંબંધોને 75 વર્ષ પૂરાં થવાનાં છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular