Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalરાજકારણના અપરાધીકરણ પર સુપ્રીમના કડક દિશા-નિર્દેશ

રાજકારણના અપરાધીકરણ પર સુપ્રીમના કડક દિશા-નિર્દેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજકારણમાં અપરાધીકરણની થયેલી ભેળસેળ પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ આર એફ નરિમન અને જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટે ચૂંટણી પંચ અને અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયની દલીલોને સાંભળ્યા પછી રાજકીય પક્ષો માટે સ્પષ્ટ દિશા-નિર્દેશો જારી કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજકીય પક્ષોએ એવા ઉમેદવારોના ગુનાઇત મામલાની માહિતી પોતાની વેબસાઇટો પર અપલોડ કરવાની રહેશે. જો કોઈ પક્ષ ગુનાઇત ભૂતકાળ ધરાવતી વ્યક્તિને ટિકિટ આપશે તો પક્ષે એનું કારણ પણ દર્શાવવું પડશે કે કેમ પક્ષ સ્વચ્છ ઉમેદવારને ટિકિટ ના આપી શક્યો.

કોર્ટે આ સાથે રાજકીય પક્ષોના ઉમેદવારોના ગુનાઇત રેકોર્ડ વિશેની માહિતી પક્ષના સત્તાવાર ફેસબુક અને ટેવિટર હેન્ડલ પર આપવી પડશે. કોર્ટે કહ્યું હતું કે પક્ષોએ આ વિશે એક સ્થાનિક અને રાષ્ટ્રીય પેપરમાં એની માહિતી આપવી પડશે.

આની સાથે જ એવા ઉમેદવારની જીતવાની સંભાવના જ નથી, બલકે પક્ષે ગુનાઇત ઇતિહાસ ધરાવતી વ્યક્તિને ટિકિટ આપવાની યોગ્યતા, ઉપલબ્ધિઓ અને મેરિટ ઉમેદવારની પસંદગી કર્યા બાદ 72 કલાકની અંદર ચૂંટણી પંચને આ વિશે માહિતી આપવી પડશે. જો કો આ દિશા-નિર્દેશોનું પાલન નહીં કરે તો તેની સામે ચૂંટણી પંચ કાયદા હેઠળ કાર્યવાહી કરશે.

જસ્ટિસ આર એફ નરીમન અને જસ્ટિસ એસ રવીન્દ્ર ભટની ખંડપીઠે આને રાષ્ટ્રહિતનો મામલો જણાવતાં 31 જાન્યુઆરીએ અરજીકર્તાઓ અને ચૂંટણી પંચની દલીલો સાંભળ્યા પછી ચુકાદો અનામત રાખ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે આ સમસ્યાને દૂર કરવા માટે પંચે કેટલાંક પગલાં લેવા પડશે. ખંડપીઠે ચૂંટણી પંચ અને અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયને એક સપ્તાહની અંદર સામૂહિક પ્રસ્તાવ આપવા નિર્દેશ આપ્યો હતો. ખંડપીઠના વકીલ અને ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ કેસમાં 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ગુનાઇત ઇતિહાસવાળા ઉમેદવાર અને તેમના પક્ષો ગુનાઇત કેસોની માહિતી વેબસાઇટ પર જારી કરશે અને નામાંકન દાખલ કર્યા પછી કમસે કમ ત્રણ વાર આ સંબંધમાં પેપર અને ટીવી ચેનલો પર માહિતી આપવી પડશે. જોકે આ સંબંધી પગલાં લેવામાં નહોતાં આવ્યાં.

આ સંબંધે સરકાર અને ચૂંટણી પંચની સામે અવમાનના અરજી કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા વકીલ વિકાસ સિંહે ખંડપીઠને જણાવ્યું હતું કે કોર્ટના આદેશનો કોઇ અસર થઈ નહોતી, કેમ કે 2019મા લોકસભા ચૂંટણી જીતવાવાળા 43 ટકા નેતા ગુનાઇત કેસોનો સામનો કરી રહ્યા હતા. આવામાં સારી વાત એ છે કે રાજકીય પક્ષોને જ નિર્દેશ આપવામાં આવે કે જેથી પક્ષો આવા ઉમેદવારોની પસંદગી જ ના કરે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular