Wednesday, July 9, 2025
Google search engine
HomeNewsNationalરૂ.2000ની કરન્સી નોટ વ્યવહારમાંથી હટાવી લેવાશે

રૂ.2000ની કરન્સી નોટ વ્યવહારમાંથી હટાવી લેવાશે

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટોને વ્યવહારમાંથી પાછી ખેંચી લેવા વિશે આજે જાહેરાત કરી છે. પરંતુ આ નોટ હાલ અમાન્ય નહીં થાય. બજારમાં એ કાનૂની મુદ્રા (લીગલ ટેન્ડર) તરીકે ચાલુ રહેશે, પણ આરબીઆઈએ બેન્કોને આદેશ આપ્યો છે કે એમણે હવે 2000ની નોટ ઈશ્યૂ કરવી નહીં.

જેમની પાસે આ નોટ હોય તેઓ યાદ રાખે કે આ નોટ બેન્કમાં જમા કરવા કે બદલવાની પ્રક્રિયા 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. કોઈ પણ બેન્ક અને રિઝર્વ બેન્કમાં આ નોટ બદલી શકાશે. એકસાથે વધુમાં વધુ 10 નોટ જ બદલવાની સુવિધા છે. 30 સપ્ટેમ્બર પછી આ નોટ અમાન્ય થઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular