Sunday, July 13, 2025
Google search engine
HomeNewsNationalરાવણના પૂતળાએ લોકો પર ચલાવ્યાં અગ્નિબાણ, જુઓ વિડિયો

રાવણના પૂતળાએ લોકો પર ચલાવ્યાં અગ્નિબાણ, જુઓ વિડિયો

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુર સ્થિત રાજકીય ઇન્ટર કોલેજ મેદાનમાં દશેરાએ એક રાવણના પૂતળાએ પૂતળાદહનના કાર્યક્રમમાં ત્યાં હાજર લોકો પર અગ્નિબાણ ચલાવ્યાં હતાં. આ ઘટનાથી જોડાયેલો એક વિડિયો સોશિયલ મિડિયા પર ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ વાઇરલ વિડિયોમાં રાવણના સળગતા પૂતળામાંથી રોકેટ નીકળી રહ્યા છે, જે આ કાર્યક્રમ જોવા આવેલા લોકો પર વરસી રહ્યા છે. આ કાર્યક્રમમાં તહેનાત પોલીસ કર્મચારીઓ પણ ખુદ આ રોકેટથી ખુદને બચાવી રહ્યા હતા. જોકે આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ નથી થઈ.

આ જ જગ્યાએ રાવણ દહન માટે જમા થયેલી ભીડની વચ્ચે અચાનક એક સાંઢ પણ ઘૂસી ગયો હતો, જેથી અફરાતફરીનો માહોલ હતો. જોકે પોલીસ અને સ્થાનિક લોકોએ ભારે મહેનતથી આ આવારા સાંઢને મેદાનમાંથી બહાર કાઢ્યો હતો. જે પછી સામાન્ય જનતાએ રાહતના શ્વાસ લીધા હતા. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

દશેરા એક વાર્ષિક ઉત્સવ છે, જે બૂરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક છે. દશેરાએ જ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. એટલે જ પ્રતિ વર્ષ દશેરાએ રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંઓનું દહન કરીને આ ઉત્સવ ધામધૂમથી ઊજવવામાં આવે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular