Tuesday, August 26, 2025
Google search engine
HomeNewsNationalરણજીત બચ્ચન હત્યા: પત્નીની ધરપકડથી સત્ય બહાર આવ્યું

રણજીત બચ્ચન હત્યા: પત્નીની ધરપકડથી સત્ય બહાર આવ્યું

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની રાજધાનીના હજરતગંજ વિસ્તારમાં વિશ્વ હિન્દુ મહાસભાના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ રણજીત શ્રીવાસ્તવ બચ્ચનની હત્યા મામલે પોલીસે ગુરુવારે તેમની પત્ની સ્મૃતિ વર્મા સ, હિત તેમનો પ્રેમી તેમજ મુખ્ય આરોપી દીપેન્દ્ર અને કાર ડ્રાઈવર સંજીતની ધરપકડ કરી છે. આ સાથે જ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો છે. પોલીસ આયુક્ત સુજીત કુમાર પાંડેયએ પત્રકારોને જણાવ્યું કે, રણજીતને દીપેન્દ્રના પિતરાઇ ભાઇ જિતેન્દ્રએ ગોળી મારી હતી, જે હાલ ફરાર છે. ફરાર જિતેન્દ્ર પર 50 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. સ્મૃતિ જવાહર ભવનમાં ટ્રેઝરી જૂનિયર કારકુન તરીકે કામ કરે છે.

સ્મૃતિના પ્રેમી દીપેન્દ્રએ રણજીત બચ્ચનની હત્યા માટે તેમને ઉશ્કેરી હતી. સ્મૃતિની ધરપરડ લખનૌના વિકાસ નગર સ્થિત તેમના નિવાસસ્થાન પરથી કરવામાં આવી. પોલીસ આયુક્તે જણાવ્યું કે, રણજીતની બીજી પત્ની સ્મૃતિનો પ્રેમી દીપેન્દ્ર જ રણજીતનો હત્યારો છે. આ ષડયંત્રમાં સ્મૃતિ પણ સામેલ છે, કારણ કે, તે રણજીતથી છૂટકારો મેળવીને પ્રેમી દીપેન્દ્ર સાથે રહેવા માગતી હતી. આ અગાઉ, રણજીતના સસરાપક્ષ વાળાએ જણાવ્યું હતું કે, તેમના જમાઈ એક જ ઘરમાં પત્ની અને પ્રેમિકા બન્ને ને રાખતા હતા. ગેરકાયદે સંબંધોને લઈને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. રણજીત તેમની પ્રથમ પત્નીને પણ અવારનવાર ધમકાવતો હતો જેનાથી કંટાળીને તેમની પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

ઘટના દરમ્યાન ઘાયલ સંબંધી આદિત્યના જણાવ્યા અનુસાર, રણજીત હત્યાના એક દિવસ પહેલા તેમના એક ઓળખીતા અભિષેક પટેલ અને તેમની પત્ની જ્યોતિ પટેલ સાથે ગોરખપુરથી નિકળ્યા હતા. રણજીતે ફેબ્રુઆરી 2015માં પોતાને અવિવાહિત ગણાવીને આર્ય સમાજ મંદિરમાં વિકાસનગર સેક્ટર-2 નિવાસી સ્મૃતિ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી સ્મૃતિને ખબર પડી કે રણજીત પહેલાથી જ મેરીડ છે અને કાલિંદી તેમની પ્રથમ પત્ની છે. ત્યારપછી બન્ને વચ્ચે બોલાચાલી શરુ થઈ ગઈ હતી. જો કે, આ દરમ્યાન સ્મૃતિ ગર્ભવતી થઈ ગઈ હતી અને તેમણે એક બાળકને જન્મ પણ આપ્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular