Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalરામમંદિર: શિલાન્યાસની તારીખ નક્કી, મોદીની હાજરીને લઈને સસ્પેન્સ

રામમંદિર: શિલાન્યાસની તારીખ નક્કી, મોદીની હાજરીને લઈને સસ્પેન્સ

અયોધ્યા: કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમા અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણનો હવે સમય નજીક આવી ગયો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે મળેલી બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. ટ્રસ્ટે મંદિરના શિલાન્યાસ માટે 3 અને 5 ઓગસ્ટની તારીખ નક્કી કરી આ પ્રસ્તાવ પીએમઓને મોકલી દીધો છે. હવે આના પર અંતિમ નિર્ણય પીએમઓ કરશે. આ સાથે જ રામમંદિરના નકશામાં ફેરફાર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં પીએમની હાજરીને લઈને હજું સુધી સત્તાવાર કોઈ માહિતી મળી નથી. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, રામમંદિરનું નિર્માણ કામ પણ શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરા જ કરશે. સોમનાથ મંદિરનું નિર્માણકામ પણ સોમપુરાએ જ કર્યું છે. મંદિર બનાવવામાં પૈસાની કોઈ કમી નહીં રહે. મંદિર માટે 10 કરોડ પરિવાર દાન આપશે.

આ બેઠકમાં મંદિરની ડિઝાઈનને લઈને પણ ચર્ચા થઈ હતી. રામ મંદિરની ઉંચાઈ 161 ફૂટ હશે. બેઠક પૂર્ણ થયા બાદ તમામ સભ્યો સર્કિટ હાઉસથી સીધા રામલલ્લાના દર્શન માટે રવાના થયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular