Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalપીએમના દાવાને રાહુલે કેમ કહ્યું "અસત્યાગ્રહી"?

પીએમના દાવાને રાહુલે કેમ કહ્યું “અસત્યાગ્રહી”?

નવી દિલ્હી: રીવા પાવર પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ આ સોલાર પાવર પ્રોજેક્ટને એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો છે. જેને લઈને રાહુલ ગાંધીએ લખ્યું કે અસત્યાગ્રહી.

 

હકીકતમાં રીવાના સોલાર પ્રોજેક્ટના ઉદઘાટન પછી અનેક લોકોએ દાવો કર્યો છે કે, આ પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ નથી. કેટલાક લોકોએ કહ્યું કે, ચીનમાં રીવાથી બમણી ક્ષમતા વાળો સોલાર પ્લાન્ટ છે.

મહત્વનું છે કે, શુક્રવારે પીએમ મોદીએ મધ્યપ્રદેશના રીવામાં 750 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતો અલ્ટ્રા મેગા સૌર પરિયોજનાનું વિડિયો કોન્ફરન્સ મારફતે લોકાર્પણ કર્યું. આ અવસર પર તેમણે કહ્યું કે, સૂર્ય ઉર્જા મામલે આપણે વિશ્વમાં 5માં સ્થાન પર છીએ. સમગ્ર વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે કે, ભારતમાં સૌર ઉર્જા આટલી સસ્તી કેવી રીતે મળે છે. સ્વચ્છ ઉર્જા માટે ભારત સૌથી મોટું બજાર બની રહ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular