Thursday, May 29, 2025
Google search engine
HomeNewsNationalસંસદમાં 137 દિવસ પછી પહોંચ્યા રાહુલ ગાંધી

સંસદમાં 137 દિવસ પછી પહોંચ્યા રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ મોદી સરનેમ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધ પછી સંસદીય સભ્યપદ બહાલ થઈ ગયું છે. એના માટે લોકસભા સચિવાલય નોટિફિકેશન જારી કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધી સંસદમાં પહોંચ્યા છે. તેઓ 137 દિવસ પછી સંસદમાં પહોંચ્યા છે. INDIA ગઠબંધનના સાસંદોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પહેલાં રાહુલ ગાંધીએ ટ્વિટર બાયો પણ બદલી કાઢ્યું હતું. એમાં તેમણે સંસદના સભ્ય લખ્યું હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનું સભ્યપદ બહાર થવાનું યોગ્ય પગલું છે. આ ચુકાદો ભારતના લોકો, ખાસ કરીને વાયનાડની જનતા માટે રાહતના સમાચાર છે.સંસદમાં આજે મણિપુર હિંસા પર હંગામા, અવિશ્વાસ પ્રસ્તાવની તારીખોના એલાન પછી શાંત થયું છે. PM મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવ પર સંસદમાં પોતાનો પક્ષ રજૂ કરશે. આ પ્રસ્તાવ પર આઠથી 10 ઓગસ્ટ સુધી ચર્ચા-વિચારણા થશે.

દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં આજે રજૂ થશે. લોકસભામાં બિલ પાસ થયા પછી હવે INDIA ગઠબંધન એને રાજ્યસભામાં પડકારવા તૈયાર છે. આમ આદમી પાર્ટીએ ત્રણ સાંસદોને 7-8 ઓગસ્ટે સંસદમાં હાજર રહેવા માટે ત્રણ લાઇનનો વ્હિપ જારી કર્યો છે. રાજ્યસભામાં કુલ 245 સીટો છે, જેમાં આઠ સીટો હાલ ખાલી છે. એ સાથે હવે સીટોની કુલ સંખ્યા 237 થઈ ગઈ છે અને રાજ્યસભામાં બિલને પાસ કરવા માટે બહુમતનો આંકડો 119 હશે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular