Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalહેં? મધ્ય પ્રદેશમાં ઉંદરો 30 વર્ષ જૂનો ઓવરબ્રિજ ખાઈ ગયા!

હેં? મધ્ય પ્રદેશમાં ઉંદરો 30 વર્ષ જૂનો ઓવરબ્રિજ ખાઈ ગયા!

ભોપાલઃ અત્યાર સુધી તો ઉંદરોએ ઘરોમાં, રેલવે સ્ટેશનો વિસ્તારોમાં ચીજવસ્તુઓ અને ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડવા વિશે સાંભળ્યું હશે, પરંતુ ઉંદરો પર સૌપ્રથમ વાર આખેઆખો બ્રિજ કાતરી ખાવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ઉંદરોએ અશોકનગર જિલ્લામાં નિર્મિત 30 વર્ષ જૂનો ઓવરબ્રિજ ઓળવી ગયાનો અજીબોગરીબ દાવો PWD વિભાગે કર્યો છે.

વાસ્તવમાં મધ્ય પ્રદેશના અશોકનગરમાં 30 વર્ષ જૂનો ઓવરબ્રિજને કોતરી-કોતરીને નુકસાન પહોંચાડવાનો દાવો PWDએ કર્યો છે. વિભાગે દાવો કરતાં કહ્યું હતું કે ઉંદરોને કારણે આ પૂલ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે અને ઠેક-ઠેકાણે ખાડા પડી ગયા છે. શહેરમાં આશરે 30 વર્ષ જૂના ઓવરબ્રિજમાં બે દિવસ પહેલાં મોટા-મોટા ખાડા જોવા મળ્યા હતા અને ત્યાં વહીવટી તંત્રએ વાહવવ્યવહાર શરૂ કરવા માટે બેરિકેટિગ કરવું પડ્યું હતું અને ટ્રાફિક પોલીસ તહેનાત કરવી પડી હતી. આ ઓવરબ્રિજ પર ખાડા હોવાથી સતત ટ્રાફિક જામ થઈ રહ્યો છે. સંપૂર્ણ મામલેક બ્રિજ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રવિ શર્મે જણાવ્યું હતું કે વર્ષોથી સસત ઉંદરો એની માટી બહાર કાઢતા હતા અને અંદરથી બ્રિજ ખોખલો કરતા રહેતા હતા, જેને પગેલી બ્રિજ CCના સ્લેબ અચાનક તૂટી ગયો હતો. ઓવરબ્રિજના સ્લેબમાં માટી ભરીને પાણીથી અંદર સુધી ભરવામાં આવશે અને જ્યારે એ માટી સારી રીતે બેસી જશે, ત્યારે CCનો સ્લેબ ભરવામાં આવશે, પણ ઉંદરો ફરીથી એની અંદર ઘર ના બનાવી શકે એ માટે પાણીને કાઢવાની જગ્યાએ કાચના ટુકડા ભરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular