Thursday, June 19, 2025
Google search engine
HomeNewsNationalપીવીઆર આઈનોક્સના 50 થિયેટરોના થશે 'શટર ડાઉન'

પીવીઆર આઈનોક્સના 50 થિયેટરોના થશે ‘શટર ડાઉન’

મુંબઈઃ દેશમાં અગ્રગણ્ય મલ્ટીપ્લેક્સ ઓપરેટર્સ પૈકી એક, પીવીઆર આઈનોક્સ લિમિટેડ કંપનીએ આવતા છ મહિનામાં દેશભરમાં તેના 50 થિયેટરોને બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. કંપનીએ હાલમાં જ તેના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે આ વર્ષના જાન્યુઆરીથી માર્ચના ત્રિમાસિકમાં એને રૂ. 333 કરોડની ખોટ ગઈ હતી.

ખર્ચમાં કાપ મૂકવાના ઉદ્દેશ્ય સાથે કંપની આગામી છ મહિનામાં દેશભરમાં તેના 50 સ્ક્રીન બંધ કરી દેવાની છે. તેના આ નિર્ણયને પગલે શેરબજારમાં કંપનીનો શેર તૂટ્યો છે. તે જે થિયેટરોને બંધ કરવાની છે તે પ્રોપર્ટી ખોટમાં જઈ રહી છે. તદુપરાંત, આ થિયેટરો શોપિંગ મોલમાં હોવાને કારણે એમનો આગળ કોઈ રીતે વિકાસ થવાનો નથી. કંપનીએ તેની આવી પ્રોપર્ટીઓ પર જ ખોટ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે પીવીઆર અને આઈનોક્સ – એમ દેશની ટોચની બે મલ્ટીપ્લેક્સ ઓપરેટર કંપનીઓએ આ વર્ષના આરંભમાં વિલિનીકરણ કર્યું હતું. આ કંપની આવતા વર્ષે 150-175 થિયેટર શરૂ કરવા ધારે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular