Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalલુધિયાણામાં ફેક્ટરીમાંથી ગેસ ગળતાં 11નાં મરણ, અનેક બીમાર પડ્યાં

લુધિયાણામાં ફેક્ટરીમાંથી ગેસ ગળતાં 11નાં મરણ, અનેક બીમાર પડ્યાં

લુધિયાણાઃ પંજાબના લુધિયાણા જિલ્લાના ગ્યાસપુરા વિસ્તારમાં આજે એક કારખાનામાં ગેસનું ગળતર થતાં 11 જણનું મૃત્યુ થયું છે અને બીજાં અનેક જણ બીમાર પડી ગયાં છે.

લુધિયાણાના નાયબ કમિશનર સુરભી મલિકે કહ્યું કે, કોઈક દૂષિત ગેસનું ગળતર થયું હોવાની શંકા છે. તપાસ ચાલી રહી છે. એનડીઆરએફના જવાનો નમૂના મેળવી રહ્યા છે. લીકેજ કેવી રીતે થયું અને કયા ગેસનું ગળતર થયું છે તે હજી સ્પષ્ટ થયું નથી. પોલીસે આખો વિસ્તાર સીલ કરી દીધો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular