Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalપુણે કાર અકસ્માતઃ પરિવાર કહે છે, શું મહારાષ્ટ્ર પોલીસ વેચાઈ ગઈ છે?

પુણે કાર અકસ્માતઃ પરિવાર કહે છે, શું મહારાષ્ટ્ર પોલીસ વેચાઈ ગઈ છે?

પુણેઃ પુણેમાં બે યુવા સોફ્ટવેર એન્જિનિયરોના જીવ લેનાર બહુચર્ચિત પોર્શ કાર એક્સિડેન્ટ કેસમાં પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી છે. રવિવારે અડધી રાત્રે સગીરના પિતાની લક્ઝરી પોર્શ કારે બે લોકોને કચડ્યા હતા. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 15 કલાકની અંદર આરોપી સગીરને જામીન આપી દીધા હતા, પરંતુ સોશિયલ મિડિયાથી માંડીને મિડિયા સુધી આ કેસમાં વિવાદ વધી રહ્યો છે. પુણે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે સગીરના બિલ્ડર પિતાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને એની ધરપકડ કરી લેવામાં આવી છે.

છત્રપતિ સંભાજીનગરથી પોલીસે આરોપીના પિતાની ધરપકડ કરી છે. જોકે આ દુર્ઘટનામાં જીવ ગુમાવી ચૂકેલા બે યુવાઓનો પરિવાર તૂટી ગયો છે. કોઈકની એકમાત્ર પુત્રી તો કોઈનો પુત્ર ચાલી ગયો છે. આ બંને પરિવારોનાં ઘરે શોક વ્યાપી ગયો છે અને પરિવાર ગુસ્સામાં પણ છે. જબલપુરમાં શક્તિનગરથી નજીક સાકાર હિલ્સમાં યુવા સોફ્ટવેર એન્જિનિયર અશ્વિની કોસ્ટાના ઘરે માતમ પ્રસર્યો છે. તેનો મૃતદેહ જબલપુર પહોંચ્યો, ત્યારે સંબંધીઓ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. શોકમગ્ન પરિવારે પૂછ્યું કે આરોપી સગીર છે તો શું?

આ અકસ્માતમાં જીવ ગુમાવી ચૂકેલા બે યુવાઓના પરિવાર તૂટી ગયા છે. યુવતી અશ્વનીના પિતા સુરેશ કોસ્ટે આક્રંદ કરતાં કહ્યું હતું કે અમારા બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે. તે પાર્ટી માટે બહાર જઈ રહી હતી, ત્યારે તેના મિત્રને અકસ્માતના સમાચાર આવ્યા કે એક સગીર નબીરો ગાડી ચલાવી રહ્યો હતો અને નશામાં સ્પીડમાં અકસ્માત થયો હતો. આ જ ઘટનામાં જીવ ગુમાવનાર અનીશના કાકાએ જણાવ્યું હતું કે આ કેસ વાસ્તવમાં 304 Aનો છે. મહારાષ્ટ્ર પોલીસ વેચાઈ ચૂકી છે. 304 હેઠળ આરોપીઓ પર કાર્યવાહી થવી જોઈએ.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular