Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalલેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી

લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ યાદવની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી

નવી દિલ્હીઃ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં ગૃહ મંત્રાલયે CBIને લાલુ યાદવની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. CBIએ આ માહિતી રાઉઝ એવન્યુ કોર્ટમાં આપી છે. આ પહેલાં દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટને 18 સપ્ટેમ્બરે નૌકરીના બદલામાં જમીનથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ભૂતપૂર્વ CM લાલુ યાદવ, ભૂતપૂર્વ ડેપ્યુટી CM તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા હતા. નોકરીના બદલામાં જમીન કેસમાં 30થી વધુ અન્ય આરોપી છે.

કોર્ટે CBIને કહ્યું હતું કે અન્ય આરોપીઓ માટે મંજૂરી પ્રાપ્ત કરવા માટે 15 દિવસ માગ્યા હતા, જ્યારે કોર્ટે CBIને કહ્યું હતું કે અન્ય આરોપીઓ માટે મંજૂરી પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયામાં ઝડપ લાવે. આ કેસની આગામી સુનાવણી 15 ઓક્ટોબર છે.

આ કેસમાં સૌપ્રથમ વાર કોર્ટે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ, અખિલેશ્વર સિંહ અને તેમનાં પત્ની કિરણ દેવીને પણ સમન્સ મોકલ્યાં છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવની સંડોવણીને નકારી શકાય નહીં. તેઓ એકે ઈન્ફોસિસ્ટમ લિમિટેડના ડિરેક્ટર પણ હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) છઠ્ઠી ઓગસ્ટે 11 આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાંથી ચારનાં મોત થયાં છે. આમાં લલ્લન ચૌધરી, હજારી રાય, ધર્મેન્દ્ર કુમાર, અખિલેશ્વર સિંહ, રવીન્દર કુમાર, સ્વ. લાલ બાબુ રાય, સોનમતીયા દેવી, સ્વ. કિશુન દેવ રાય અને સંજય રાયનો સમાવેશ થાય છે.

આ કેસમાં તપાસ એજન્સી દ્વારા 13 ઓગસ્ટે 96 નવા દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હતા. બિહારના પૂર્વ સીએમ રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને પુત્રી હેમા સહિત અન્ય આરોપીઓ સામે ED પહેલેથી જ ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular