Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalMUDA કૌભાંડમાં CM સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી

MUDA કૌભાંડમાં CM સિદ્ધારમૈયા વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી

બેંગલુરુઃ કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલીઓમાં વધારો થવાનો છે. MUDA જમીન કૌભાંડ મામલામાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોતે તેમની વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. જોકે સિદ્ધારમૈયા કેસ ચલાવવાની મંજૂરીને હાઇકોર્ટમાં પડકારશે. કર્ણાટક હાઇકોર્ટમાં સોમવારે આ સંબંધે અરજી દાખલ કરવામાં આવશે.

આ MUDA કેસમાં CM સિદ્ધારમૈયા તેમ જ તેમની પત્ની સહિત પરિવારના સભ્યો પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શોભા કરણલાજે કહેવું છે કે જ્યારથી જમીન MUDA કેસ શરૂ થયો છે ત્યારથી સિદ્ધારમૈયા હંમેશાં મહત્ત્વના હોદ્દા પર રહ્યા છે. તેમના પરિવાર પર આ કેસમાં લાભાર્થી હોવાનો આરોપ છે. આવી સ્થિતિમાં તે શક્ય નથી કે આમાં તેની ભૂમિકા ન હોય.

મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)નું કામ મૈસુરમાં શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને લોકોને પોસાય તેવા ભાવે આવાસ પૂરા પાડવાનું છે. વર્ષ 2009માં મુડાએ શહેરી વિકાસને કારણે જમીન ગુમાવનારા લોકો માટે 50:50ની યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ જે લોકોની જમીન સંપાદિત કરવામાં આવશે તેમને MUDA દ્વારા વિકસિત જમીનના 50 ટકા પ્લોટ ફાળવવામાં આવશે. જોકે વર્ષ વર્ષ 2020માં તત્કાલીન ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી હતી. જોકે યોજના બંધ થયા પછી પણ MUDAએ 50:50 યોજના ચાલુ રાખી અને તે હેઠળ જમીનો સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું.

એવો આરોપ છે કે CM સિદ્ધારમૈયાની પત્ની પાસે મૈસુરના કેસારે ગામમાં 3 એકર અને 16  ગુંઠા જમીન હતી, જે તેમના ભાઈ મલ્લિકાર્જુને પાર્વતીને ભેટમાં આપી હતી. પાર્વતીની જમીન MUDA દ્વારા વર્ષ 2021માં હસ્તગત કરવામાં આવી હતી. એ બદલામાં પાર્વતીને મોંઘા વિસ્તારમાં 14 જગ્યાઓ ફાળવવામાં આવી હતી. એવો આરોપ છે કે MUDAએ આ જમીન સંપાદિત કર્યા વિના દેવનુર ત્રીજા તબક્કાની યોજના વિકસાવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular