Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalલિકર કૌભાંડ કેસમાં ‘આપ’ પાર્ટીને આરોપી બનાવવાની શક્યતા

લિકર કૌભાંડ કેસમાં ‘આપ’ પાર્ટીને આરોપી બનાવવાની શક્યતા

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમ્યાન CBI અને EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે એજન્સી દિલ્હી આબકારી નીતિ સંબંધિત મામલામાં આમ આદમી પાર્ટી (આપ)ને આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. સિસોદિયા દિલ્હી લિકર કૌભાંડ કેસમાં આ વર્ષના ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે.

બંને એજન્સીઓ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી. એન. ભટ્ટીની ખંડપીઠે કહ્યું હતું કે તેમણે રાજ્યને નિર્દેશ આપ્યો હતો કે એજન્સીઓ આપ પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. જોકે આ વિશે રાજુને વલણ સ્પષ્ટ કરવા કરતાં કહ્યું હતું કે CBI અને EDની તપાસ મામલે આપની વિરુદ્ધ અલગ-અલગ આરોપ નક્કી થશે.

ASG રાજુએ નિવેદન ત્યારે આપ્યું હતું, જ્યારે ખંડપીઠ આપ નેતા સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. એજન્સીઓએ વારંવાર કહ્યું છે કે આપ પાર્ટી હિતધારકોથી પ્રાપ્ત લાંચની લાભાર્થી છે, જેને બદલામાં લિકરનાં લાઇસન્સ પ્રાપ્ત થયાં હતાં. આ એ નાણાંનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કર્યો હતો.

શું છે મામલો?

દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની પાસે અનેક વિભાગોની જવાબદારી હતી, જેમાં આબકારી વિભાગ પણ સામેલ હતો. CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની કૌભાંડમાં કથિત ભૂમિકા માટે ધરપકડ કરી હતી. દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021એ લિક નીતિ લાગુ કરી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular