Thursday, June 12, 2025
Google search engine
HomeNewsNationalભારત માટે વરદાન સાબિત થઈ શકે છે જનસંખ્યા

ભારત માટે વરદાન સાબિત થઈ શકે છે જનસંખ્યા

નવી દિલ્હીઃ બ્રિટનને પાછળ છોડીને વિશ્વની પાંચમું મોટું અર્થતંત્ર બનનાર, સેના પર ખર્ચ કરનાર ત્રીજો સૌથી મોટા દેશે નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. UN મુજબ વસતિમાં ભારતે ચીને પાછળ રાખી દીધું છે. ભારતની વસતિ આશરે 1.4 અબજ છે.

ભારતની અડધી વસતિ 30 વર્ષની છે. અર્થતંત્રના અનેક ક્ષેત્રોમાં ચીનને પાચળ છોડવામાં યુવા વસતિ ભારત માટે વસતિ સાબિત થશે. વસતિ વધવાની સાથે દેશ ગરીબ થઈ જાય છે, પણ એ પૂરું સાચું નથી. વિશ્વમાં એવા કેટલાય દેસ છે, જેની વસતિ ઝડપથી વધી છે, પણ એ સાથે-સાથે એનું અર્થતંત્ર પણ વધ્યું છે. 1960માં દક્ષિણ કોરિટા અને તાઇવાનની વસતિ ઝડપથી વધવા છતાં બંને દેશ ગરીબ નથી, બલકે આર્થિક રૂપે સક્ષમ બન્યા છે. વસતિની સાથે અર્થતંત્રનું સંતુલન જળવાઈ રહે તો આર્થિક પ્રગતિ પણ થાય છે.

જોકે વસતિ વધવાથી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. સૌથી મોટો પડકાર સમાજ માટે રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને ઘર સહિત બધી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં રહે છે. વળી, ભારતમાં જન્મદર ઓછો થયો છે અને એ દર 2060ના દાયકામાં પિક પર હશે. જોકે ઘટતો જન્મદરની સૌથી મોટી સમસ્યા ચીન અને જાપાન જેવા દેશોમાં ઊભરીને સામે આવી છે. વળી, ચીને વસતિ પર નિયંત્રણ માટે વન ચાઇલ્ડ પોલિસી પણ લાગુ કરી છે. 2050 સુધીમાં ચીનમાં પ્રૌઢોની સરેરાશ ઉંમર 50 વયની હશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular