Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalશંભુ બોર્ડરે ખેડૂતો સાથે ઘર્ષણમાં પોલીસે ટિયર ગેસ છોડ્યો

શંભુ બોર્ડરે ખેડૂતો સાથે ઘર્ષણમાં પોલીસે ટિયર ગેસ છોડ્યો

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણાના ખેડૂતોના દિલ્હી કૂચનો આજે બીજો દિવસ છે. દિલ્હીની સરહદો પર સુરક્ષા બેરિકેડિંગ કરી દેવામાં આવી છે. બધી સરહદોની આસપાસ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. હરિયાણાના સાત જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્રની વચ્ચે વાતચીતમાં કોઈ પણ સમાધાને ન પહોંચ્યા પછી કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિન રાજકીય)એ ખેડૂતોને દિલ્હી ચલોનું આહવાન કર્યું છે.

ખેડૂતો MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) અને દેવાં માફીની કાનૂની ગેરંટી, સ્વામિનાથન પંચની ભલામણો લાગુ કરવા સહિત કેટલીય માગોને પંજાબ અનમે હરિયાણાના ખેડૂતોએ દિલ્હી કૂચ કરી રહ્યા છે. શંભુ બોર્ડર પર ભારે સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.પોલીસે ખેડૂતો પર ટિયર ગેસ છોડ્યો હતો. પોલીસ સાથે થયેલી અથડામણમાં DSP સહિત 24 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular