Sunday, July 13, 2025
Google search engine
HomeNewsNationalમોદીનું આહવાન: 'આઓ દીયા જલાયે'!

મોદીનું આહવાન: ‘આઓ દીયા જલાયે’!

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દીપ પ્રગટાવવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભે તેમણે દિવંગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો એક વિડિયો ટ્વીટ કર્યો છે. બુઝી હુઈ બાતી સુલગાંયે, આઓ ફિર સે દીયા જલાયે. મહત્વનું છે કે, વડાપ્રધાને 5 એપ્રિલે રાતે 9 વાગ્યે 9 મિનિટ સુધી દીવો, મીણબતી, ટોર્ચ કે મોબાઈલની ફ્લેશલાઈટ ચાલુ કરવાની અપીલ કરી છે. સાથે જ તેમણે કહ્યું આ દરમ્યાન ઘરની તમામ લાઈટો બંધ કરી દો.

અટલ બિહારીની કવિતા:

બુઝી હુઈ બાતી સુલગાયે

આઓ ફિર સે દિયા જલાયેં

હમ પડાવ કો સમજે મંજિલ

લક્ષ્ય હુઆ આંખો સે ઓઝલ

વર્તમાન કે મોહપાશ મેં

આને વાલા કલ ન ભૂલાયે

આઓ ફિર સે દિયા જલાયે

આહુતિ બાકી યજ્ઞ અધૂરા

અપનો કે વિધ્નોને ઘેરા

અંતિમ જય કા વજ્ર બનાને

નવ દધીચી હડ્ડીયા ગલાયે

આઓ ફિર સે દીયા જલાયે

આઓ ફિર સે દીયા જલાયે

 

મહત્વનું છે કે, સમગ્ર દેશ કોરોના વાઈરસ સામે જંગ લડી રહ્યો છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 માર્ચથી 14 એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા 22 માર્ચે તેમણે જનતા કરફ્યુની અપીલ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular