Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsNationalવડા પ્રધાન મોદીએ દેશવાસીઓને નવરાત્રી પર્વની આપી શુભેચ્છા

વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને નવરાત્રી પર્વની આપી શુભેચ્છા

નવી દિલ્હીઃ શક્તિસ્વરૂપ મા જગદંબાની ઉપાસનાનાં પવિત્ર પર્વ નવરાત્રીનો આજથી આરંભ થયો છે. આ નવ દિવસનો તહેવાર લોકો પરંપરાગત ધાર્મિક ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવશે. આ મહાપર્વ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્તિની શુભેચ્છા આપી છે.

વડા પ્રધાન મોદીએ X પ્લેટફોર્મ પર લખ્યું છે: ‘શક્તિદાયી મા દુર્ગા દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સારું સ્વાસ્થ્ય આપે એવી શુભેચ્છા.’

નવરાત્રીને ઉત્સવ અને ધાર્મિક રીતરિવાજો સાથે સાંકળવામાં આવે છે. આ પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે અને નવ દિવસ બાદ દસમા દિવસે દશેરા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular