Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsNationalમોરિશિયસના લોકો રામભક્તિમાં ડૂબ્યાઃ PMએ રામભજન શેર કર્યું

મોરિશિયસના લોકો રામભક્તિમાં ડૂબ્યાઃ PMએ રામભજન શેર કર્યું

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં બે દિવસ બચ્યા છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશ વિદેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડા પ્રધાન મોદીએ મોરિશિયસના લોકોએ ગાયેલા એક રામ ભજન અને કથાને શેર કરી છે.

વડા પ્રધાન મોદીએ X પર એ ગીતને શેર કરતાં લખ્યું છે કે મોરિશિયસના અદભુત લોકોએ પોતાની પરંપરાને જાળવી રાખી છે અને એમાં કથા અને ભજનના માધ્યમથી રામ ભક્તિ પણ સામેલ છે. આટલાં વર્ષો સુધી આટલી ઘેરી સાંસ્કતિક વારસાને અને ભક્તિને ફૂલીફાલી રહી છે, એ જોઈને બહુ સારું લાગી રહ્યું છે.

આ પહેલાં શુક્રવારે સૂરિનામ અને ત્રિનિદાદ-ટોબૈગોમાં પણ રામ ભજન લોન્ચ કરવામાં આવ્યું હતું.વડા પ્રધાન મોદીએ આવાં કેટલાંક ભજનોની માહિતી X  પર આપી હતી. તેમણે આ ભજનોની લિંક્સ શેર કરતાં લખ્યું હતું કે રામાયણનો સંદેશ વિશ્વના લોકોને પણ પ્રેરિત કર્યો છે. અહીં સૂરિનામ અને ત્રિનિદાદ અને ટોબેગોથી પણ કેટલાંક ભજન છે.

વડા પ્રધાન મોદીએ આ પહેલાં પણ કેટલાક વધુ ગાયકોના રામ ભજન X પર શેર કરી ચૂક્યા છે. શુક્રવારે તેમણે સુરેશ વાડેકરના ગીતને શેર કર્યું હતું. તેમણે પાંચ જાન્યુઆરી, 2024એ જુબિન નોટિયાલના ગીતને શેર કરતાં X પર લખ્યું હતું કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે અયોધ્યાની સાથે દેશ રામમય થઈ રહ્યો છે. રામલલ્લાની ભક્તિથી ઓતપ્રોત જુબિન નોટિયાલ, પાયલ દેવ અને મનોજ મુંતશિરનું એ સ્વાગત ભજન દિલને સ્પર્શી જનારું છે. વડા પ્રધાને એ દિવસે હંસરાજ રઘુવંશી દ્વારા ગવાયેલું રામ ભજન પણ તેમણે શેર કર્યું હતું અને એ રામ ભજનની પ્રશંસા કરી હતી.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular