Sunday, June 15, 2025
Google search engine
HomeNewsNationalપેટીએમે બદરીનાથ, કેદારનાથ મંદિરમાં દાન માટે સ્પષ્ટતા જારી કરી

પેટીએમે બદરીનાથ, કેદારનાથ મંદિરમાં દાન માટે સ્પષ્ટતા જારી કરી

બદરીનાથઃ બદરીનાથ અને કેદારનાથ મંદિર સમિતિએ પેટીએમ ક્યુઆર કોડ પર સ્પષ્ટતા કરી છે. દેશના મુખ્ય મંદિરોમાં શ્રદ્ધાળુ અને તીર્થયાત્રીઓને ડિજિટલ દાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, આ ક્રમકમાં શ્રી બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ની વર્ષ 2017માં બોર્ડની બેઠકમાં કેદારનાથ ધામમાં એ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પેટીએમની સાથે કરારનો એક ભાગ છે, એમ સમિતિના મિડિયા પ્રભારી ડોક્ટર હરીશ ગૌડે જણાવ્યું હતું.

વર્ષ 2018માં બંને પક્ષોની વચ્ચે કરાર થયો હતો, ત્યારથી સતત પેટીએમ દ્વારા શ્રી કેદારનાથ ધામમાં ક્યુઆર કોડનાં નાનાં સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે. પેટીએમ તરફથી હાલની યાત્રામાં પણ કેદારનાથ સિવાય બદરીનાથ ધામમાં મોટા કદના કેટલાંય સાઇન બોર્ડ લગાવવામાં આવ્યાં છે, પરંતુ પેટીએમ તરફથી ક્યુઆર કોડનાં બોર્ડ લગાવવા માટે પહેલાં BKTCના અધિકારીઓએ લેખિત કે મૌખિક કોઈ પણ પ્રકારનાં બોર્ડ લગાવવા અથવા એ કદના, સ્થાન વગેરે વિશે કોઈ માહિતી નહોતી આપવામાં આવી.

BKTCના અધિકારીઓના ધ્યાનમાં એને તત્કાળ દૂર કરવામાં આવ્યાં હતાં. BKTCએ પ્રકરણની પોતાના સ્તરે પણ તપાસ કરી અને કોઈ પણ પ્રકારની છેતરપિંડીની આશંકાને પગલે પોલીસને લેખિતમાં ફરિયાદ દાખલ કરી હતી. BKTCની આંતરિક તપાસ અને પોલીસમાં ફરિયાદ પછી પેટીએમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મંદિર વહીવટી તંત્રમાં સંપર્ક કરવામાં આવ્યો હતો. પેટીએમ દ્વારા કરવામાં આવેલી ચૂક પર BKTCના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કંપનીના અધિકારીઓ સમક્ષ કડક નારાજગી વ્યક્ત કરી હતી અને એને ગેરજવાબદાર વલણ બતાવ્યું હતું. આ બાબજે પેટીએમના અધિકારીઓ દ્વારા ભૂલ સ્વીકારવામાં આવી હતી અને ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પેટીએમ દ્વારા સમિતિને દાન સ્વરૂપે રૂ. 67 લાખ પ્રાપ્ત થયું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular